Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 102
________________ (૮૯) એ પ્રમાણે મિથ્યા મમત બાજુ ઉપર રાખી શાન્ત મનથી વિચાર કરીએ તે આપણી ખાત્રી થાય છે કે નુકશાનકારક રૂટી હોય તેને ત્યાગ કરવામાં આનાકાની કરવામાં કંઈ સબળ કારણે નથી. “રૂઢી” એ કાળે કરીને જનમંડળમાં સ્થાપિત થએલો નિયમ-ધારે છે. જે વખતે જે ધારે યોગ્ય હોય તે ચાલે, પછી વખત જતાં તે સ્થાપિત થાય, એટલા ઉપરથી એ નિયમ જે કાળમાં જનમંડળને અનુકુળ ન આવે તે કાળમાં તેને ત્યાગ કરી તેની જગાએ અનુકુળ ને લાભકારક નિયમ ન સ્વીકારી શકાય એમ કંઈ કરતું નથી. માટે આ બાબત સંપૂર્ણ વિચાર કરી અમે જે સૂચવ્યા છે તે ઉપાય યોજીને અથવા બીજા જે યોગ્ય ઉપાયો સુજે તે અને જ્યાં ભાણું વ્યવહાર છે ત્યાં કન્યા વ્યવહાર કરવાના જેમ બને તેમ જલદી યત્ન થાય એ આપણા જનમંડળના હિતની વાત છે. વે છે? એટલું જ કે બ્રાહ્મણે માત્ર એકજ છે, અને બ્રાહ્મણોમાં જે પાછળથી ભેદ થયા છે તે કશા વાસ્તવિક કારણથી થયા નથી, પણ અમુક પ્રામાદિ નિવાસને લીધે થયા છે.” આ નાનું પણ અતિ ઉપયોગી ચોપાનિયું ધ્યાન દેઈ વાંચવાની અમે અમારા વાંચનારને ભલામણ કરીએ છીએ. તે એકલા બ્રાહ્મણોને માટે છે, પરંતુ તેમાંની ઘણી બાબતે સર્વને ઉપયોગી થાય એવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134