Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
(૫૪)
હ્મણોમાંથી બધી જાતના નાગરો, બાયડ નાગરે, વટલાવવાથી કે બીજું કારણેથી બ્રાહ્મણમાંથી ઉત્પન્ન થએલી હલકી વર્ણ–તપોધન કારટીઆ, રાજગોર, ભોજક, આદિ–બાદ કરતાં બાકી રહેલા તમામ જાતના ગુજરાતી બ્રાહ્મણે ઘણું કરીને એક બીજાની સાથે ખાવા વ્યવ હાર રાખે છે તેઓ એક બીજાનું ખાતાં કે પાણું પીતાં વટલાતા નથી. પરંતુ કન્યા વ્યવહારની બાબતમાં તેમ નથી. તેઓ એક બીજાની સાથે કન્યા વ્યવહાર રાખતા નથી. કન્યા વ્યવહાર પિત પિતાની જ નાતમાં અને કેટલીક નાતેમાં તે પોતાની નાતના પણ બધા માણસે સાથે નહિ પણ માત્ર પોતાના એકડામાં જ રાખવામાં આવે છે.
નાગરમાં, વડનગરા કેઇનું ખાતા નથી. એટલે તેમને એક વર્ગ જુદે પડે છે. તેમનામાં ગ્રહસ્થ, ડુંગરપુરા અને ભિક્ષુક એવા ત્રણ ભેદ છે; તેઓ અરસ્પરસ ભેજન વ્યવહાર રાખે છે, પણ કન્યા વ્યવહાર રાખતા નથી. વળી દેશમાં જેટલા વડનગરા નાગર છે તેટલા બધા ભોજન વ્યવહાર રાખે છે, પણ કન્યા વ્યવહાર રાખતા નથી. એટલે ભોજન વ્યવહારના સંબંધમાં વડનગરા નાગરોને એક વર્ગ છે એમ કહી શકાય, પણ કન્યા વ્યવહારના સંબંધમાં તેના ઘણા વર્ગ છે. પ્રથમ તો ત્રણ મેટા વિભાગ ગણાવ્યા છે, અને વધારામાં ગામવાર જેટલા થાય તે ખરા. વિસલનગરા, સાદ્રા આદિ નાગરે બીજા બ્રાહ્મણનું ખાતા નથી, પણ વડનગરા નાગરોનું ખાય છે, પણ કન્યા વ્યવહાર તે પોત પોતામાં જ રાખે છે, ને તેમાંય કન્યા વ્યવહારના સંબંધમાં ગામવાર જથા પડી ગયા છે તે ભેદ તો જુદા.
દરેક નાગરની નાતના સંબંધમાં બાયડ નાગરની નાત હોય છે. જે જે નાગરમાંથી તેઓ નિકળ્યા છે તેમની સાથે કે બીજા બ્રાહ્મ
ની સાથે તેઓને ભોજન વ્યવહાર નથી, તેમ કન્યા વ્યવહાર પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com