Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
( ૫૫ )
નથી. બધી જાતના બાયડે અરસ્પરસ પણ કન્યા વ્યવહાર રાખતા નથી. તે તો દરેક બાયડ પોત પોતામાં જ કરી શકે છે.
બ્રાહ્મણોની હલકી નાતેમાં પણ ભોજન વ્યવહાર તથા કન્યા વ્યવહાર પોતપોતાની નાતમાં જ છે; અન્ય વણે સાથે અરસ્પરસ વ્યવહાર નથી.
એ ઉપરથી સાર એ નિકળે છે કે ભોજન વ્યવહારનો સંબંધ લેઈ બ્રાહ્મણના વર્ગ પાડીએ તો તે ઓછા થાય છે. નાગરના જુદા જુદા વર્ગો, બાયડનાગના વર્ગો, કેટલીક હલકી વર્યું અને પછી એકંદર બ્રાહ્મણોને એક વર્ગ, એટલે લગભગ વિશેક ભેદ થશે. ૫રંતુ કન્યા વ્યવહારનું તેમ નથી તે સંબંધમાં તો જેટલી નાતોની સંખ્યા અમે બતાવી છે તેટલા ભેદ છે, એટલે એ ભેદ એટલા બધા છે ને વળી વધતા જાય છે કે તેની યથાર્થ સંખ્યા આપી શકાતી નથી.
વાણિયામાં મેથી વાણિયાને એક મોટો વર્ગ છે. તેમાંથી વિશા નાગર વાણિયા, પાંચા, અને કન્યાની અછતથી ઉત્પન્ન થએલી કેટલીક નાત બાદ કરતાં બાકીની તમામ મેશ્રી વાણિયાની નાતેમાં અરસ્પરસ ભેજન વ્યવહાર છે, પણ કન્યા વ્યવહાર બિલકુલ નથી. વાણિયાને બીજે વર્ગ શ્રાવકોને છે. તેઓની જુદી જુદી નાતેમાં અને રસ્પરસ ભોજન વ્યવહાર છે, ને કંઈ કંઈ કન્યા વ્યવહાર પણ જેવામાં આવે છે. વાણિયાઓમાં પિરવાડ, શ્રીમાલી અને નીમા વાણિયાઓની હકિકત કંઈક જુદી છે. એ ત્રણે નાતેમાં મેથી અને શ્રાવક બંને જાત હોય છે. એ બધા ધર્મનો ભેદ રાખ્યા વિના કન્યા વ્યવહાર પણ કરતા હતા. હાલમાં ધિમે ધિમે એ લાભકારી વહિવટ બંધ થતો જાય છે, ને હવે મેથી મેશ્રી માં અને શ્રાવક શ્રાવકમાંજ કન્યા
વ્યવહાર રાખે છે. જેમાં એવો બંદોબસ્ત હજી નહિ થયો હોય તેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com