Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
( ૬૦ )
સાધારણ રીતે તપાસ કરતાં જ આ વાતની ખાત્રિ થાયછે. એમ ક રતાં કરતાં કેટલીક નાતે છેક પાયમાલીની તૈયારી ઉપર આવી ગઈ છે. અમદાવાદમાં વાયડા વાણીમાનાં ક્ક્ત પંદર કે વિશ ધર છે. તેમજ ખડાયતા બ્રાહ્મણનુ થયુ છે તે 1 થતું જાયછે. અમદાવાદમાં તેમનાં ચેડાંક વર્ષ ઉપર પંદરેક ઘર હતાં, તે ઘટતાં ઘટતાં હાલ ચાર પાંચ ઘર ઉપર આવીને અયુછે. પ્રશ્નારા તે કશ્તેારા નાગરે કેટલા ઓછા થઈ ગયા છે, તે ચિત્રાડાનું તે નામ પણ સભળતું નથી. એ પરિણામ નાતેાના ભેના વિસ્તાર વધવાથી થયુંછે. નાતેાના વિસ્તાર વધતે જવાનું મુખ્ય કારણ કન્યા વ્યવહાર છે. કન્યા એની અછત મટાડવાના હેતુથી વાડ! બાંધવામાં આવ્યાછે, ને હજી બંધાતા જાયછે, પરંતુ તે હેતુ એ પ્રમાણે કરવાથી કઈ પાર પડવે નથી. કન્યાની અછત કેટલાકમાં તે એમ કરવાથી ઘટવાને બદલે વધી પડી; ઘણા કુંવારા રહેવા લાગ્યા ને એમ કરતાં કરતાં એ ત્રણ પેઢીએ નાતાની ક્ષીણતા થવા માંડી.
૨. સંસાર–મુખના વિનાશ:-આપણું સર્વસ્વ નાશ પામ્યું તેની જોડે સ ંસાર-સુખ પણ નાશ પામ્યું. એમ થવાનાં બીજાં પણુ કારણે છે, પરંતુ નાતેાના ભેદના વિસ્તારે એ પરિણામ આણવામાં કઇ એછુ. કામ કર્યું નથી. જ્યાં કન્યા લેવાનું તથા આપવાનું ક્ષેત્ર નિયમિત હોય, ને મન માનતાં જોડાં બંધાવાનેા સંભવ છે! હાય, ત્યાં સંસાર–સુખ શી રીતે વધે? વધે નહિ, એટલુંજ નહિ, પણ તે ધટે તેમાં કઈ નવાઇ નથી.
૩. સારી પ્રજાની ઉત્પત્તિની હાનિ:-નાતાના ભેદના વિસ્તા રનું આ બહુ ભયંકર પરિણામ છે. દહાડે દવાડે પ્રજા નબળી, નિર્માલ્ય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com