Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
( ૧૦ ) ધારવાળા ગ્રંથો ઈતિહાસ અને પુરાણે આદિ છે તે તપાસતાં પણ એમ માલમ પડે છે કે સ્મૃતિકાળની વર્ણવ્યવસ્થામાં આ સમયમાં પણ ઝાઝો ફેર પડયે નથી.
एकवर्ण मिदंपूर्ण विश्वमासीत् युधिष्ठिरः । कक्रिया विशेषेण चातुर्वर्ण्य प्रतिष्ठितं ॥ सर्वे वै योनिजा मन्याः सर्वे मूत्र परीषिणः । एकेन्द्रियेन्द्रियाश्चि तस्माच्छील गुणैर्द्विजः॥
| || મહામાત ! હેવા જોઈએ. તેઓ એમ કહે છે કે અમારા ઘરડા કંઈ ગાંડા નહોતા, ને આપણે કંઈ તેમના કરતાં વધારે ડાહ્યા નથી; વળી જે બાબતમાં આપણને સમજણ ન પડે તે બાબત ખોટી છે એમ કહેવું ના જોઈએ, એટલે ઇશ્વરના મુખમાંથી બ્રાહ્મણ શી રીતે પેદા થાય તે આપણી સમજમાં ન ઉતરે માટે તે ખોટું ન કહેવું જોઈએ. એ શું વિચિત્ર-લેજીકતર્ક નથી ? એ ન્યાયે સૃષ્ટિમાં કશું ખરું ખોટું કહી શકાય નહિ પરંતુ એક વાર એ ન્યાયથી એમના સિદ્ધાંતની તુલના કરીએ, તોપણ શું જણાય છે ? વારું, અમને સમજ નથી પડતી તો રહ્યું, પરંતુ જગતમાં કોઈને પણ સમજ પડે એવું છે કે નહિ? જે કોઈને પણ પડે એવું હોય તો તે શી રીતે સમજ્યો ને તેની શી રીતે ખાત્રી થઈ તે જગતને બતાવે એટલે બસ છે. પછી જગત તેની તૂલના કરી લેશે. પરંતુ મનુષ્ય જાતમાંના કોઇને પણ સમજ ન પડે એવી વાત પણ માન્ય કરાવવા એ દલીલ વાપરવામાં આવતી હોય તો તે એ બુદ્ધિને ભ્રમ છે; એથી અધિક શું કહીએ ! માટે ભલે કકલદ એમ મનાવે, ને કેટલાક એમ માને પણ ખરા, પરંતુ જગતમાં
એવું મનાવવાને યત્ન નભનાર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com