Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
( ૧૬ ) વૈદિક સમયમાં એ પ્રતિબંધને કંઈ આધાર જણાતો નથી ત્યારપછી સ્મૃતિકાળમાં પણ એવો પ્રતિબંધ સબળ હશે એમ માનવાને જોઈએ તેવાં કારણ કે પુરાવા નથી. તે કાળમાં ઉંચ વર્ણને અનુકુળ આવે એવા નિયમ કંઈક બંધાયાનું જણાય છે, પરંતુ તેમાંય માત્ર યોગ્યયોગ્યને વિચાર છે, કંઈ પ્રતિબંધ નથી. सवर्णाग्रे द्विजातीनां गशस्ता दारकर्माण । कामतस्तु प्रवृत्ता नामियाः स्युः क्रमशोवराः ॥१२॥ शूदैव भार्या शूद्रस्य साचस्वा चविंशःस्मृते । तेचस्वा चैवराज्ञश्व तावस्वा चाग्र जन्मनः ॥१३॥
અનુકૃતિ, ૨, ૨૨, રૂ અર્થ–બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય પ્રથમ વિવાહ કરતી વેળા પિતાની જાતની કન્યા સાથે વિવાહ કરવો એ ઉત્તમ પક્ષ છે. બીજી વખત જે કામવૃત્તિથી વિવાહ કરે છે તેને તે નીચેના ક્રમ પ્રમાણે વિવાહ કરવો ઘટે છે. શ્રદ્ધથી શદ્ર કન્યા જ સાથે, વૈશ્યથી વૈશ્ય તથા શદ્ર કન્યા સાથે, ક્ષત્રિયથી પોતાની જાતની તથા વૈશ્ય કે શુદ્ધ કન્યા સાથે, અને બ્રાહ્મણથી પોતાની જાતિની તથા ક્ષત્રિય, વૈશ્ય કે
૧ જાતિભેદ ને ભોજન વિચાર, પૃષ્ટ ૨૦, કર્તા શ્રી નારાયણ હેમચંદ્ર. મેક્ષમ્યુલર કૃત “ચીસ કામ એ જર્મન વર્ક શેપ' નામના ગ્રંથને પૃષ્ટ ૩૧૧ મે એ વિદ્વાન ગ્રહસ્થ કહે છે કે જુદી જુદી જાતના લોકોને ભેગા બેસી ખાતાં પીતાં. કે અરસ્પરસ કન્યા આપતાં પ્રતિબંધ નડે એ કંઈ આધાર વેદના મંત્રોમાં નથી. વળી પૃષ્ટ ૩૨૧જુએ. મી. દત્ત કૃત એજ પુસ્તક ૧ લું, પૃષ્ટ ૨૪૦. ૧ મી. દસ કૃત એજન પુસ્તક ૩જું, પૃષ્ટ ૧૬૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com