Book Title: Bhojan Vyavahar tya Kanya Vyavahar athva Roti tya Beti
Author(s): Keshavlal Motilal
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 48
________________ (૫) સુધારાની સ્થિતિને ભેદ, અને રાજ્ય પ્રકરણમાં આર્યપ્રજાને વિજય એ કારણેથી પ્રથમ વર્ણ–રંગ–ઉપરથી આર્ય અને અનાર્ય એવા બે ભેદ પડયા. આર્ય શબ્દ “અ” ધાતુ ઉપરથી થયો છે, તેથી તેને અર્થ ખેતી કરનાર ને છેવટ તે ઉપરથી ઉમદા એવો થાય છે. એ શબ્દથી આ દેશમાં આવનારી પ્રજાના સુંદર રંગની, તેની ચઢતી વ્યવહારિકખેતી–ની સ્થિતિની, તેના રંગની તથા તેના રાજ્યકારી વિજયની સુચના થાય છે. એથી ઉલટુ “અનાર્ય શબ્દથી અસલી રહીશોના શ્યામળા રંગની, તેમની ઉતરતી વ્યવહારિક સ્થિતિની, અને તેમના રાજ્ય પ્રકરણ પરાભવની સુચના થાય છે. એ અનાર્ય પ્રજાને વેદમાં “દા શબ્દથી વર્ણવવામાં આવી છે. તેમનામાંના જેઓ આર્યપ્રજાના સંસર્ગમાં આવ્યા તેઓ તેમના દાસ, બદાયૂ શબ્દ ઉપરથી કહેવાયા, ને તે શબ્દને અર્થ “ચાકરી કરનાર થયો. છેવટ એ વર્ગ બીજી વહેંચણીમાં “ક” નામથી ઓળખાય. બેના ચાર વર્ગ થવાનું કારણ ગુણ કર્મ છે એ પણ બતાવવામાં આવ્યું છે. સુધરેલી પ્રજામાં વ્યવહારિક કાયોના વર્ગ કરવા અને તે પ્રમાણે તેની વહેંચણી કરવી એ સાર્વજનિક લાભ સારૂ જરૂરનું છે. એકજ માણસ પિતાને ખાવાનું અનાજ તૈયાર કરે, પછી તેની જે વ્યવસ્થા કરવાની તે કરે; પહેરવાનાં લુગડાં સારૂ કાલાં વાવે, તે લણીને તેને ફેલે, પછી તેમાંથી રૂ લોઢી કાઢે, પછી તેનું સુતર કાંતે, તેનાં લુગડાં વણે, જરૂર પડે તો તેને રંગે, તથા તેને સીવીને તૈયાર કરે; એ બધુ કરવા બેસે; તથા એવાં એવાં દરેક કામ કરવા બેસે તે એકે કામ થઈ શકે નહિ, ને એઠે વસ્તુ બરાબર ઉત્પન્ન થઈ શકે નહિ. એવાં એવાં કારણોથી કામની વહેંચણી જગતુમાં થવી જોઇએ, તે થઈ પડ્યું છે. તમામ કાર્યોની વહેંચણી આર્યપ્રજાએ ચાર વર્ગમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134