Book Title: Avashyak Niryukti Part 03 Author(s): Aryarakshitvijay Publisher: Vijay Premsuri Sanskrit Pathshala View full book textPage 6
________________ : - સૌ સાથે મળી ક્રીએ શૃંદાનો સમુધ્ધાર જિનશાસનમાં સૌથી મહત્ત્વનું સ્થાન છે જિનમંદિર અને જિનાગમ. જિનમંદિર માટે આજે ચારેબાજુ જાગૃતિ સારી છે, પરંતુ જિનાગમ માટેની જાગૃતિ અલ્પ પ્રમાણમાં છે. સાંભળ્યું છે કે જૈનસંઘના અનેક જ્ઞાનભંડારોમાં હસ્તલિખિત પ્રતો પડેલી છે જે પ્રતોની એકાદ નકલ જ છે. પૂર્વેના મહાપુરુષોએ મહેનત કરીને આગમના દોહન સ્વરૂપ ગ્રંથોની રચના કરી હતી. પરંતુ તેની અનેક નકલો નષ્ટ થઈ ગઈ છે. પૂ. આ. હરિભદ્રસૂરિ, પૂ. મહોપાધ્યાય યશોવિજય મ. સા. આદિના ગ્રંથો અત્યંત અલ્પ પ્રમાણમાં જ આજે ઉપલબ્ધ છે. તે તે ગ્રન્થોને આજની લીપીમાં લીપ્યાંતર કરવાની ખૂબ જ જરૂર છે. તથા જે પ્રાચીન ગ્રંથો છે તેનું સંશોધન કરવાની તાતી જરૂર છે. તે માટે જ્ઞાનખાતાની રકમો પણ ઘણી મળી શકે તેમ છે પરંતુ આ બધાનું સંકલન જરૂર છે. તે માટે શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા દ્વારા લીપ્યાંતર અને સંશોધન કાર્ય શરુ કરેલ છે. જે વ્યક્તિઓને હસ્તલેખન, લીપ્યાંતર અને સંશોધન કાર્યમાં રસ હોય તેઓએ નીચેના સરનામે પત્ર લખવા વિનંતી છે. તથા જૈનસંઘમાં આગવું સ્થાન સાધુ-સાધ્વીજી ભગવંતોનું છે. તેઓને દીક્ષા આપ્યા બાદ પઠન-પાઠનની વ્યવસ્થા પુરતી થાય તે માટે સ્થાને સ્થાને તપોવન, સાધુ-સાધ્વીજી ભગવંતોની પાઠશાળા શરૂ કરી છે કરવાની ભાવના છે. તેથી જે ક્ષેત્રમાં આવા વિદ્યાપીઠોની જરૂર હોય તે ક્ષેત્ર સંબંધી માહિતી તમારા તરફથી અમને પ્રાપ્ત થાય એવી આપ સૌ પાસે આશા રાખીએ છીએ. તથા આવી વિદ્યાપીઠો માટે આપશ્રીના પરિચિત વર્ગમાં જેમણે પોતાની લક્ષ્મીનો વ્યય કરવાની ભાવના હોય તેઓએ નીચેના સરનામે સંપર્ક કરવો. તપોવન સાધુ-સાધ્વી વિધાપીઠ પ્રેરણાદાતા : પૂ.પં. પ્રવર ચંદ્રશેખર વિજયજી મ.સા. સંયોજક : પૂ. મુનિશ્રી જિતરક્ષિત વિજયજી મ.સા. ૧ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા તપોવન સંસ્કાર પીઠ,મુ. અમીયાપુર, પોસ્ટ સુઘડ, તા.જી. ગાંધીનગર-૩૮૨૪૨૪. ફોન : (૦૭૯) ર૯૨૮૯૭૩૮, ૩૨૫૧૨૬૪૮, . - તક . ' અને TAT TET T .Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 410