Book Title: Atmanand Prakash Pustak 064 Ank 07 08
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રીનાનજીભાઈ કેશવજી મુંબઈ મુંબઇ શ્રી દુર્લભજીભાઇ ઉમેદચઢ પ્રાપ્ત થએલ સંદેશાઓમાંના કેટલાક નવી પ્રેરણા અને માર્ગદર્શન આપે તેવા હતા. એમાંના કેટલાક પરિશિષ્ટ ન. ૨ માં રજૂ કરવામાં આવેલ છે. સભાના પ્રમુખ શ્રી ખીમચંદ ચાંપશી શાહે સભાની સત્તરવસની કાર્યવાહીને અહેવાલ રજુ કરતા જણાવ્યું કે :~ પરમ પૂજ્ય આગમ પ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ, ધરમપૂજ્ય પંન્યાસ શ્રી પ`. કંચનવિજયજી ગણિ મહારાજ, ૫. પૂ. શ્રી રમણિકવિજયજી ગણિ મહારાજ અન્ય મુનિમહારાજે, સાધ્વીજી મહારાજો, માનનીય પ્રમુખશ્રી કસ્તુરભાઈ શેઠ, અતિથિ વિશેષ શ્રી અમૃતલાલભાઇ શેઠ, ડા. આદિ-એ નાથ ઉપાધ્યે અને અન્ય ઉપસ્થિત ભાઇએ તથા બહેના. આજના દિવસ અમારા માટે મગળકારી હિન છે. શ્રી જૈન આત્માનંદ સભાએ પોતાની યશસ્વી કારકિર્દીના સિત્તેર વર્ષ પૂરાં કર્યાં. છે તે પ્રસ`ગે અમે અમારી ખુશાલી દર્શાવવા મણિમહોત્સવ ઉજવીએ છીએ તેમાં અમને સાથ આપવા, અમારા કાર્યની કદર કરવા અને અમારા આનંદને બેવડા બનાવવા આપ સો અત્રે પધાર્યા છે. તે માટે અમે ખરેખર હુ અને ગૌરવની લાગણીઓ અનુભવીએ છીએ. આ પ્રસંગે શ્રી જૈન આત્માનંદ સભાના ટૂંકા પરિચય આપ સમક્ષ રજૂ કરવાની રજા લઉં છુ. જ્ઞાન એ દીપક છે. જેમ દીપક અધકારને નસાડી પ્રકાશ પાથરે છે અને માણસને ચોગ્ય માર્ગ દર્શાવે છે તેમ જ્ઞાન પણ અ'ધશ્રદ્ધા, વહેમ, કુવૃત્તિએ વગેરેને દૂર કરી હૃદયને અજવાળે છે તથા ક, કલેશ અને કષાયની કાલિમાના નાશ કરવાના માર્ગ ૧૩૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir દર્શાવે છે. જ્ઞાનની ઉપાસના કરનાર અમૃતના આસ્વ!દ પામે છે. માટે જ કહ્યું છે કે વૃક્ષ તુ વT. વિદ્યા જ અમૃતત્વ છે. નમો નમો નારિસ જ્ઞાનરૂપી સૂર્યને નમસ્કાર હેા. આ જ્ઞાનની વિતરણ કરતી સંસ્થાઆ દેરા જેટલી જ આત્માને ઉન્નતિકર હોય છે. શ્રી જૈન આત્માનંદ સભા પણ એવુંજ એક જ્ઞાનમંદિર છે આપણા અમૂલ્ય જ્ઞાનનિધિમાંથી ઉત્તમ ગ્રંથરત્નોને પ્રગટ કરવા એનુ જીવનવ્રત છે. એ ત્રતનું પાલન કરવા એ સાત સાત દાયકાઓથી અન્નના પુરુષા કરી રહેલ છે. અત્યાર સુધીમાં ઘણા પ્રાચીન ગ્રંથો પ્રગટ કરીને એણે માનવ જીવનને અજવાળવાના અને જૈન શાસનનું ગૌરવ વધારવાના પ્રયાસ કર્યો છે, અને ભવિષ્યમાં આવા વિશેષ પ્રયાસ કરવાની એની ભાવના છે. ભારતમાં મેગલ શહેનશાહત અસ્તવ્યસ્ત થયા પછી લગભગ એકસો વર્ષને સમય જીવનના દરેક ક્ષેત્રમાં અંધાધૂંધીના હતા. લેાકેામાં અજ્ઞાનતા, વહેમ, અંધશ્રદ્ધા, કુસ’પ વગેરે દુર્ગુણે! ઘર કરી ગયા હતા. પરંતુ અગ્રેજી રાજ્યના સ્થિર થયા પછી સદ્ભાગ્યે નવીન પ્રકાશનો ઉદય થયો અને લેકમાં પુનનિર્માણના શ્રી ગણેશ મંડાયા. હિંદુઓમાં આ પુનઃ નિર્માણના વિધાતાએમાં જેમ રાળ રામમેહનરાય, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી જેવા માખરે છે તેમનામાં ન્યાયાંનેાનિધિ આચાર્ય શ્રી વિજયાનંદસૂરિ-આત્મારામજી મહારાજ પણ અગ્રસ્થાને છે. For Private And Personal Use Only આત્માનંદ પ્રકાશ

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84