________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મણિમહત્સવ મારી નજરે
શ્રી જેન આત્માનંદ સભાના મણિમહોત્સવના મંગળ પ્રસંગે તા. ૩૦-૪-૬૭ અને ૧-૫-૬૭ બને દીવસોએ મારા સદ્દભાગ્યે એ નજરે નિહાળવાનો અને પ્રસંગની ભવ્યતાને મહાણવાને મને સુયોગ પ્રાપ્ત થયે હતો.
જે સભા પિતાની ઉજવળ કારકિર્દીના ૭૦ વરસો પૂરાં કરી મણિમહોત્સવ ઉજવવા સભાગી બને એ મંગળ પ્રસંગની વિશિષ્ટતા પણ એવી જ હોય.
મણિમહોત્સવના પ્રસંગને સભાના સંનિષ્ઠ કાર્યકરોએ પૂરા ઉત્સાસ અને ખંતથી ખરેખર ભવ્ય બનાવ્યો હતો.
મહત્સવની ઉજવણીનું સ્થળ પણ ખૂબ જ વિચાર પૂર્વક ભાવનગરના ભવ્ય જીનાલય દાદાસાસાહેબના વિશાળ , પ્રાંગણનું પસંદ કરવામાં આવેલું, જે પ્રસંગની મહત્તાને સરસ ઉઠાવ આપી ગયું. સુંદર-સુવ્યવસ્થિત અને ભવ્ય સ્ટેઈજ સાથ સમિયાણે; સ્ટેઈજની પાછળ સંસ્થાને પરિચય આપતું મેટુ બેનર, એની આસપાસ પ્રસંગને અનુરૂપ ધાર્મિક સૂત્રે વાળાં બેડું વગેરે ખરેખર ઉપસ્થિત માનવમેદનીના આકર્ષણનું એક અંગ બની ગયું હતું.
એક તરફ આ.પ્ર. પ. પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મ.સાની હાજરી અને બીજી તરફ સારાએ હિન્દના જૈન સમાજના પરમ આદર્શરૂપ શેઠ શ્રી કસ્તુરભાઈ શેઠ પ્રમુખસ્થાને, શ્રી અને સરસ્વતીને સુગ જેને પ્રાપ્ત થયેલ છે તેવા શ્રી અમૃતલાલ કાલીદાસ દોશી અતિથિવિશેષ સ્થાને તેમજ ગ્રન્થ પ્રકાશનની ઉદ્દઘાટન વિધિ જેમના વરદ હસ્તે કરવામાં આવી તે શાન્તમૂર્તિ શ્રી એ. એન. ઉપાધ્યે (આદિનાથ નેમિનાથ ઉપાર્થે) જેઓ માટે પં. સુખલાલજીના સંદેશાના શબ્દોમાં કહું તો તેઓશ્રી માત્ર પ્રાધ્યાપક લેખક નથી પણ તેઓ ગ્રંથ સંપાદન વિધિ અને કળાના દીર્વાનુભવી પારદશી વિદ્વાન છે. ત્રણે વિભૂતિઓની સાદાઈ સમતા અને સભ્યતા ખરેખર ધ્યાન ખેંચી જાય તેવી હતીએટલું જ નહિ, તેઓશ્રી પ્રતિ આદર ભાવ પણ વધારી જાય તેવી હતી.
સૌથી વિશેષ નંધનીય વસ્તુ એ હતી કે સવારના કાર્યક્રમ જે બપોરના ૧૨-૩૦ સુધી ચાલ્યો તે સામાન્ય રીતે રસપ્રદ ગણાય અને મનાય. તેમાં સાહિત્યપ્રેમી સંસ્થાપ્રેમી અને શુભેચ્છકે પ્રશંસકેની હાજરી વિશાળ રહે તે યથાગ્ય હોય પરંતુ તે જ દિવસને સાંજના ૪ વાગતાને કાર્યક્રમ “ દ્વાદશાર નયચક” ગ્રન્થના ઉદ્દઘાટન વિધિને
મણિસત્સવ વિશેષાંક
૧૬૦-૨૫
For Private And Personal Use Only