________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વાદશારે નયચક્રના પ્રકાશનના સમારંભ રવિવારે બપોર પછી ચાર વાગતા શ્રી ભારતીબેન, શ્રી મહાવીર જૈન મહિલા મંડળ અને શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન સંગીત કલામંડળનાં ગીતોથી સભાની શરૂઆત થઈ હતી. સમારંભનું પ્રમુખસ્થાન સુપ્રસિદ્ધ વિદ્વાન ડો. આદિનાથ નેમિનાથ ઉપાધ્યેએ શોભાવ્યું હતું. શ્રી ભાઈચંદભાઈ વકીલે બાકીના સંદેશાઓનું વાચન કરતા નયચક અંગેના પંડિતજી સુખલાલજી અને શ્રી ફતેહરાંદ ઝવેરભાઈ શાહના સંદેશાઓ વાંચી સંભળાવ્યા હતા અને બીજાઓને નામ નિર્દેશ કર્યો હતો.
પ્રમુખશ્રીને પરિચય આપતા શેઠશ્રી અમૃતલાલ કાળીદાસ દોશીએ કહ્યું હતું કે “આવી સુંદર ફરજ બજાવતાં મને બહુ આનંદ થાય છે. ડે. ઉપાધ્યને જન્મ સને ૧૯૦૧ માં થયે હતા અને અભ્યાસકાળ દરમ્યાન તેઓએ ઉત્તરોત્તર વિકાસ સાધ્યો હતો. ૧૯૪૭ માં તેઓએ મહાનિબંધ લખીને ડોકટરેટની પદવી લીધી.
પં. શ્રી સુખલાલજી, મુનિ શ્રી પુણ્યવિજયજી અને મુનિ શ્રી જિનવિજયજીએ એમના જીવનમાં પ્રકાશ પાથર્યો છે. એમણે વીસ જેટલા ગ્રંથોનું સંપાદન કર્યું છે, અને સો ઉપરાંત અભ્યાસપૂર્ણ લેખો અને નિબંધ લખ્યા છે. નયચક જેવા ગ્રંથના પ્રકાશન માટે આપણે તેમને મેળવી શક્યા તે ખૂબ આનંદની વાત છે.”
સભાના પ્રમુખ શ્રી ખીમચંદભાઈએ નયચક ગ્રંથના પ્રકાશનનું કાર્ય કેવી રીતે શરૂ થયું, આગળ વધ્યું અને એમાં કેને કાને સહકાર મળ્યો તેમજ મુદ્રણ વગેરેની વિગતો રજૂ કરી હતી. આ બાબતમાં જણાવ્યું હતું કે સભાને આ ગ્રંથના પ્રકાશન માટે લગભગ પચીસ હજાર રૂપિયાનો ખર્ચ થયો છે પરંતુ પ. પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજની કૃપાથી તે મેળવી લેવાયો છે. હુજી બીજો ભાગ પ્રસિદ્ધ કરતાં પહેલા રૂા. પંદરેક હજારનો ખર્ચ થવા વકી છે. આપ સૌના સહકારથી તે અમને મળી રહેશે તેવી શ્રદ્ધા છે.
પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજીએ આ પ્રસંગે બોલતા મુનિ શ્રી જંબુવિજયજીના કાર્ય. ની ખૂબ ખૂબ અનુમોદના કરી હતી. અને તેમની વિદ્વતાને મુક્ત મને બિરદાવી હતી. આ ગ્રંથના સંપાદનમાં નયચકની ઉ. શ્રી યશોવિજયજી મહારાજ, અને તેઓશ્રીના ગુરુ વગેરે સાત મુનિવરોએ માત્ર પંદર દિવસમાં કરેલ હસ્તપ્રતની નકલ મળી આવ્યાથી આ સંપાદનમાં કેટલી મદદ મળી હતી અને આવી અતિ વિરલ અને અમૂલ્ય પ્રત અમદાવાદદેવસાના પાડાના ઉપાશ્રયમાંથી મળી આવવાથી વિદ્વાન કટલે બધે આનંદ થયો હતો એની રોમાંચક કથા કહેતા કહેતા મહારાજ શ્રી લાગણીભીના બની ગયા હતા. જ્યારે પૂ. વિજયસૂરિજી મ. ને તેમણે આવી પ્રત મન્યાની વાત કરી, ત્યારે તેઓશ્રીએ ભાવના ભર્યા વરે “નમે જિણાણું પદનું ઉચ્ચારણ કર્યું હતું. આ હસ્તપ્રતમાં પંચાવન સે જેટલા સ્લકે તો ખૂદ ઉપાધ્યાયજી મહારાજે પોતાના હાથે જ લખ્યા છે, તે તેમની જ્ઞાનોપાસનાની તીવ્રતાને સૂચવે છે. આ ગ્રંથ સવાંગ સંપૂર્ણ થાય એ માટે જ્યાં જ્યાંથી ઉપયોગી
નયર
આમાનંદ પ્રકાશ
For Private And Personal Use Only