________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિષેધાત્મક પૂરાવાઓથી કંઈ જ સિદ્ધ થઈ શકે નહિ. જે કોઈ ગ્રંથ અન્ય ગ્રંથને ઉલ્લેખ કરતો ન હોય તો તેથી સાલવારીની ચર્ચામાં આ કાંઈ આધારભૂત પુરાવો લેખાય નહિ. હકીકત પૂરાવાની બહુમતિ અથવા ભાવાત્મક પૂરાવાથી નિર્ણય બાંધી શકાય. પિતાનાં અનુમાન અથવા ફલિત વિધાનોને અનુકૂળ હોય કે નહીં પરંતુ પોતાના પ્રશ્ન પ્રત્યે નિષ્પક્ષ થવું ઘટે. પોતાને અનુકૂલ હોય યા પ્રતિકૂલ, તો પણ હકીકતને રજૂ કરવી જ જોઈએ. પોતાનાં પૂર્વ સ્થાપિત ફલિત વિધાન ખંડિત કરતી હોય તે પણ તેવી હકીક્તને દાબી દેવી ન જોઈએ. આ વાત હું મુનિશ્રી વિક્રમવિજ્યજીએ મલવાદી અને યચક્ર વિષયક લેખ વાંચ્યા પછી મૂ કે ઈ. સંશોધનમાં આ પ્રકારનું વલણ ચિરકાલીન ટકે તેવાં પરિણામ લાવી શકશે નહિ. જે આપણી પાસે સ્પષ્ટ પૂરાવા હોય તો તે આપણું ફલિત વિધાનને ઉભા રાખવા આપણે અનુમાનનું શરણ લેવું જોઈએ નહિ. છેલ્લા • દ્વાદશાનિયચકે' તેના પર લખાયેલા સિંહરિના ન્યાયાગમાનુસારિણી નામના ભાષ્ય સાથે અનેક જૈન મહાનુભાવોનું ધ્યાન ખેંચ્યું છે. ઈ. સ. ૧૯૫૨માં મુનિ ચતુર્વિજયજી અને પંડિત લાલચંદજીએ સંપાદિત કરેલ ચાર અને પ્રથમ ભાગ ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ તરફથી પ્રકાશિત થયેલ. તે પહેલાં શ્રી વિલબ્ધિશ્રીએ સંપાદિત કરેલો ગ્રંથ હવે ચાર ભાગમાં પૂરો થયે છે. આ ગ્રંથપ્રકાશન છાણી તરફથી થયું છે. પ્રથમ ભાગ ૧૯૬૮માં, બીજો ભાગ ૧૯૫૧માં, ત્રીજો ભાગ ૧૯૫૬માં અને ચોથા ભાગ ૧૯૬૦માં પ્રકાશિત થયે આ ચેથા ભાગ ઉપર માહિતીપૂર્ણ પ્રસ્તાવના શ્રી વિક્રમવિજયજીએ લખેલી. આ પ્રકારના ગ્રંથની દરેક આવૃત્તિનું મૂલ્ય છે. વિવેચન નાત્મક સંપાદન અને સંશોધનને પ્રયાસ જે વ્યવસ્થિત રીતે થાય તો તે પ્રગતિશ્ચને પૂર્ણતા તરફ લઈ જાય. મુનિશ્રી જબૂવિજયજીની આ આવૃત્તિની પોતાની અનેક વિશેષતાઓ છે જે વિશેષતાઓથી તે તેની પૂર્વગામી આવૃત્તિઓ કરતાં નિશ્ચયાત્મક પ્રકારને સુધારો સૂચવે છે. તેથી તે આપણું સર્વ તરફથી આદર માટે યોગ્ય છે. તુલનાત્મક અભ્યાસથી એવું માલુમ પડે છે કે શ્રી જખ્ખવિજયજીએ મૂળ ગ્રંથને વિગતપૂર્ણ અભ્યાસ કરે છે. તેથી બાદશારાયચક્રને તેના મૂળ સ્થાને સ્થાપવાનું કાર્ય વધુ ચોક્કસ અને સ્વીકાર્ય રીતે થયેલું છે. બીજું, તેમની હસ્તપ્રતો સંબંધી પૂર્વ સામગ્રી નિઃશેષક રીતે પૂર્ણ છે. જુદા જુદા પાડે જ્યાં જ્યાં માલુમ પડ્યા, ત્યાં ત્યાં તેમણે વિવેચનાત્મક રીતે તેનો વિચાર કરે છે. ગ્રંથનું સંપાદન કાર્ય કરવામાં તેઓએ નિશ્ચિત પદ્ધતિ અજમાવી છે. તેમણે લખેલી ટિપ્પણીઓ મહત્ત્વપૂર્ણ અને વિદ્વત્તા ભરેલી છે. ભારતીય ન્યાયમાં રસ ધરાવતી પ્રત્યેક વ્યક્તિ તેનું મૂલ્યાંકન કરી શકશે. ભાષ્યને ભિન્ન ભિન્ન પેરેગ્રાફમાં રજૂ કરવામાં આવેલ છે. તે દર્શાવે છે કે આ અતિ અઘરા ગ્રંથને તેઓ સારી રીતે સમજ્યા છે. ભોટ (તિબેટન) પરિશિષ્ટમાં પ્રમાણસમુચયના મૂળ ગ્રંથના પાઠ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે આ ગ્રંથના સંપાદન કાર્યમાં તેઓશ્રીએ કેટલે પરિશ્રમ લીધેલો છે. તેમણે લખેલી પ્રસ્તાવના પણ સંશોધનની દૃષ્ટિથી મૂલ્યવાન છે. મલવાદીના જીવન વિશે તેમણે હકીક્તના તાંતણે એક તંતે વણી લીધા છે. તેઓ મલવાદીના સમય તરીકે સંવત ૪૧૪ (એટલે કે તેમાંથી ૫૭ બાદ કરતાં ઇ.સ. ૩૫૭) સ્વીકારે છે. આ રીતે મલ્લવાદી, જેમની પાસેથી તેમણે ઘણી પ્રેરણા મેળવી છે તેવા સિદ્ધસેનના કનીયાન સમકાલીન થાય છે ડો. એચ. એલ જેને દર્શાવ્યું છે કે સિદ્ધસેનની ગુણવચનકાત્રિશિકામાં ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનો ઉલ્લેખ છે આ સમ્રાટ ઈ.સ. ૩૦૦ થી ઈ. સ. ૪૧૭ સુધી રાજસત્તા પર હતો. અંતમાં કહીશ કે અહીં ન્યાયગ્રંથની એક આદર્શ રીતે સંપાદિત આવૃત્તિ આપણને મળે છે. એને માટે હું મુનિશ્રી જખ્ખવિજયજીને મારા
૧૬૦-૨
આત્માનંદ પ્રકાશક
For Private And Personal Use Only