________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રચેલી અતિ વિસ્તૃત નચચક્રવૃત્તિ જે મળે છે તેનું સ ંશોધન કરવાની ખાસ આવશ્યકતા હતી. આ કા પ્રતિઓની અશુદ્ધતા અને ગ્રંથામાં આવતા અસંખ્ય સંદર્ભો શેાધવાની મુશ્કેલીએના કારણે અત્યંત કઠિન હતું એટલે મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે તેમને આ ગ્રંથનુ સ ંશાધન-સંપાદન કરવાની ભલામણ કરી. અતિશય કઠિન હોવા છતાં તે કામ ઉપાડી લેવાની આ ગુરુ શિષ્યે તત્પરતા બતાવી અને મુ.શ્રી પુણ્યવિજયજી મહારાજને પ્રતિએ મેાકલી આપવા વિનંતી કરી.
મુનિશ્રી જંબૂવિજયજીએ સ. ૨૦૦૩માં પૂજય ગુરુદૈવ મુનિરાજશ્રી ભુવનવિજયજીના આશીર્વાદ અને પૂર્ણ સહકારથી આ અતિ કઠિન કાર્ય ના આરંભ કર્યાં. તેએશ્રીએ સસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી વગેરે ભાષાઓના અભ્યાસ કરી લીધેલા હતા પરંતુ આ ગ્રંથનુ સપાદન કરતી વખતે તેઓશ્રીને લાગ્યુ` કે સાંખ્ય, વૈશેષિક, બૌદ્ધ આદિ દશનાના જે જે ગ્રંથોનુ નયચક્રમાં ખંડન કરેલુ છે તેમાંથી મેાટા ભાગનું સાહિત્ય આજે નામશેષ થઇ ગયું છે. પરંતુ મૂળ સંસ્કૃત ભાષામાં આ ગ્રંથ નષ્ટ થયા હેાવા છતાં તેમાંના કેટલાકનુ ભાટ (તિબેટન) ભાષામાં લગભગ એક હાર વર્ષ પૂર્વે થએલા અનુવાદો મળે છે; એટલે એ ગ્રંથેાની જાણકારી માટે તિબેટન ભાષાના અભ્યાસ આવશ્યક છે અને મુનિશ્રીએ તેટલા ખાતર તે અભ્યાસ કરી લીધા અને આવા ગ્રંથાના તિબેટન અનુવાદો મેળવી તે વાંચી લીધા.
આ ગ્રંથનુ' 'શોધન-સ'પાદન સર્વાંગ સોંપૂર્ણ અને તેટલા માટે મુનિરાજશ્રી જંબૂવિજયજીએ કેઈપણ પ્રયાસ બાકી રાખ્યો નથી. તિબેટન ભાષામાં અનુવાદ્રિત સંબંધ ધરાવતાં ગ્રંથા તપાસ્યા પછી પણ તેઓશ્રીએ આ માબતના જાણકાર પરદેશી વિદ્વાના સાથે સ'પ' સાધ્યા, એસ્ટ્રિયાના ડા. ઈ. ફ્રાઉલનેર. ઈટલીના ડા. ફ્રેંચી. ઇંગ્લાંડના ડો. થામ્પસન, યુનાઇટેડ સ્ટેટસના ડો. વાલ્ટર મૌરીર અને ડો. યાજ ખું, જાપાનના ડો. છેÀા કાનાકુરા વગેરે સાથે તેઓ પત્રવ્યવહાર સંબંધમાં છે અને અદ્યતન શેાધાથી આ રીતે તેઓ પરિચિત રહે છે અને આ સર્વેના લાભ તૈયાર કરતી વખતે આ ગ્રંથને મળ્યા છે.
મુનિરાજશ્રી જંબૂવિજયજી દર્શનશાસ્ત્રાના ઊંડા અભ્યાસી, ચિંતનકાર અને સ'શેાધક હાવા ઉપરાંત એક ઉચ્ચ કેાટિના સાધક છે. કીર્તિ કે પ્રશ'સાથી હુંમેશાં દૂર જ રહે છે. ચેાગસાધના તેમની પ્રિય પ્રવૃત્તિ છે. આટલા મહાન જ્ઞાનતપસ્વી હેાવા છતાં તેઓશ્રીમાં મેાટાઈ કે અભિમાનના એક છાંટા સરખા પણુ નથી. નમ્રતા અને સરળતાથી તેઓશ્રીનું જીવન હંમેશા સુવાસિત બન્યું છે.
આ સભાને આવા નિરભિમાની જ્ઞાનતપસ્વીના સુયોગ સાંપડ્યો છે તે આ સભાનુ મેટું ગૌરવ છે. સભાના મણિમહાત્સવ પ્રસંગે સ્વ. મુનિરાજશ્રી ભુવનવિજયજીને સવિનય વઢણા સાથે સ્મરણાંજલિ અપીએ છીએ અને મુનિરાજશ્રી જવજિયજીને નમ્રતાપૂર્વક વંદણા કરી ઈચ્છીએ છીએ કે તેઓશ્રી દીર્ધાયુષી થાય અને તેઓશ્રીના જ્ઞાનના લાભ સભાને હુંમેશને માટે મળતા રહે.
મણિમહાત્સવ વિશેષાંક
For Private And Personal Use Only
k