Book Title: Arhat Dharm Prakash
Author(s): Kirtivijay
Publisher: Aatmkamallabdhisuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 39
________________ [ ૨૦ ] આ તધમ પ્રકાશ છે, એ કેટલુ વિચિત્ર માણસને પેાતાનાં કપડાં જરાય મેલાં કે ગંદા ગમતાં નથી, તેમજ કચરાથી ભરેલું ઘર પસંદ પડતું નથી, તે આત્માની મલિનતા કેમ પસંદ પડતી હશે? * માણસ મકાનમાંથી વારંવાર કચરા સાક્ કરે છે અને મકાનને સ્વચ્છ રાખે છે. વળી પેાતાનાં શરીરને મેલ દૂર કરવા ગરમ પાણી અને સાબુવડે ખૂબ ચાળી ચાળીને સ્નાન કરે છે. તે જ રીતે કપડાંને રાજ સાફ રાખે છે, પરંતુ પેાતાના આત્મા મેલા છે, છતાં તેને શુદ્ધ કરવા માટે જરાય મહેનત કરતે નથી! આત્માનું આ જ મોટું અજ્ઞાન છે. શરીર, ધન, માલ, મીલ્કત અને સ્વજનપરિવારાદિ ક્ષણવિનશ્વર છે. એના મેહમાં માણસ અમર રહેવા આત્માને ભૂલી જાય છે, તે કેટલું શૈાચનીય છે ! દારૂ જડ પદાર્થ હાવા છતાં આત્માને બેભાન બનાવે છે, તેવી જ રીતે કર્મ જડ હાવા છતાં આત્માને અસર કરે છે અને ફળ આપે છે. એ કર્મોથી મુક્તિ મેળવવી હોય, શાશ્વત શાંતિ પ્રાપ્ત કરવી હાય, પૂર્ણ સુખી બનવું હાય અને હુંમેશને માટે અખંડ આનંદમાં ઝીલવું હાય તેા જ્ઞાની પુરુષાએ બતાવેલા માર્ગે ચાલવુ જોઇએ. સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્ ચારિત્રને અનુસરવુ જોઈ એ સવ જીવા પ્રત્યે મૈત્રીભાવ કેળવી, અહિં'સક વૃત્તિ રાખી, સદાચાર, ન્યાય, નીતિ અને સત્યનું પાલન કરવુ જોઈએ, તપશ્ચર્યાએ આદરવી જોઇએ, ઇન્દ્રિયાના ગુલામ ન બનતાં તેનું દમન કરવુ' જોઇએ, આત્માને એળખી આત્મવિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવુ જોઈએ, જેથી આત્મા ધીરે ધીરે કર્મથી

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88