Book Title: Arhat Dharm Prakash
Author(s): Kirtivijay
Publisher: Aatmkamallabdhisuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 72
________________ આધુનિક વિજ્ઞાન [ ૫૩ ] માટે જ આપણને અપૂર્ણ—અધૂરા વિજ્ઞાનવાદીઓ કરતાં વધારે શ્રદ્ધા અને વિશ્વાસ આપણું પરમાત્મા. આપણા કેવળજ્ઞાની શ્રી જિનેશ્વરદેવ ઉપર છે. પૃથ્વી ગોળ છે. એમ શોધખોળ કરનાર માનવી કઈ રીતે કહી શકે ? જેને પૂર્ણ જ્ઞાન નથી, તે પૂર્ણતાની વાતે કરે તે પાગલમાં ખપે છે. ત્યારે અધૂરા અને અપૂર્ણ માણસ ઉપર કઈ રીતે વિશ્વાસ રાખી શકાય ? ન જાણે ક્યારે એના સિદ્ધાંતનું પરિવર્તન થશે ? આથી સૂર્યચંદ્ર સ્થિર છે અને પૃથ્વી ફરે છે, એ વાત પણ વજુદ વગરની કરે છે. તેમને પૂછે કે શ્રવને તારો ઉત્તર દિશામાં ત્યાંને ત્યાં સ્થિર કેમ રહે છે? પૃથ્વી ફરતી હોય તે ધ્રુવને તારો પણ આપણને ફરતે દેખા જોઈએ, પણ ધ્રુવ તે ઉત્તરમાં જ સ્થિર દેખાય છે. માટે આ બધી વાતે કપોલકલ્પિત છે. કદાચ કોઈ એમ કહે કે-ધ્રુવને તારો માથા ઉપર છે, માટે પૃથ્વી ગમે તેમ ફરે તે પણ ત્યાંને ત્યાં દેખાય છે, તે વાત પણ બરાબર નથી; કેમ કે ધ્રુવની આજુબાજુ નાના સપ્તર્ષિના સાત તારાઓ આપણને બરાબર ફરતા દેખાય છે, તે પણ ધ્રુવની સાથે જ છે. તે સાત તારાઓની સાંકળ ફરે છે માટે ફરતી દેખાય છે અને ધ્રુવ ફરતો નથી, માટે ધ્રુવ સ્થિર દેખાય છે. પૃથ્વી ફરતી હતી તે ધ્રુવ અને

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88