Book Title: Anubhav Prakash Author(s): Dipchand Shah Kasliwal Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar View full book textPage 5
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (ચતુર્થ-આવૃત્તિપ્રસંગે). પ્રકાશકીય નિવેદન આ અનુભવપ્રકાશ ગ્રંથના રચયિતા શ્રી દીપચંદજી કાસલીવાલ જૈપુરી છે. તેઓ આમેરના રહીશ હતા. તેઓ ઉત્તમ આધ્યાત્મિક વિદ્વાન હતા. તેમણે આ ગ્રંથ ઉપરાંત અનુભવવિલાસ છંદ, આત્મ-અવલોકન છંદ, ચિવિલાસ વચનિકા, પરમાત્મપુરાણ છંદ, સ્વરૂપાનંદ બૃહત્ તથા લઘુ, જ્ઞાનદર્પણ, ગુણસ્થાનભેદ, ઉપદેશર– છંદ, અધ્યાત્મપચીસી છંદ વગેરે રચેલાં છે. તેમના સમય-જીવન સંબંધી જાણવાના સાધનના અભાવે કાંઈ વિશેષ લખી શકાતું નથી. પણ પુસ્તકના લખાણ અને શૈલી પરથી જણાય છે કે તેઓ અધ્યાત્મપ્રેમી અને સિદ્ધાંતજ્ઞાની હતા. આ અનુભવપ્રકાશગ્રંથ આત્મ-અનુભવનો નાનો પણ ભાવવાહી ગદ્યગ્રંથ છે. તેમાં આત્માનું સ્વરૂપ, સ્વરૂપપ્રાતિનો ઉપાય, સાધ્ય-સાધકભેદ, અનુભવનું વર્ણન, નિશ્ચયધર્મ-મોક્ષમાર્ગ, સમાધિવર્ણન વગેરે વિષયોને સંક્ષેપમાં ચર્ચા, આત્મરસનું આસ્વાદન કરવાની રીત દર્શાવેલ છે. આ વિષયના આધ્યાત્મિક ગ્રંથો-પરમાગમો-પૂર્વોચાર્યોએ અગાઉ લખેલાં છે; જેને પોતાની મૌલિક શૈલીમાં ગ્રંથકારે વર્ણવેલ છે. સ્વાનુભૂતિથી વિભૂષિત, આત્મજ્ઞ, આધ્યાત્મરસની વર્તમાનમાં ક્રાંતિ જેમના દ્વારા થઈ રહી છે, એવા પરમકૃપાળુ પૂ. ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના પ્રતાપે તત્ત્વપ્રસાર ભારતમાં વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે, તે અનુસાર સત્ સાહિત્યનું પ્રકાશન આ Please inform us of any errors on rajesh@ AtmaDharma.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 96