Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 128
________________ ચુંમાળીસનું ગ્રંથસ્થ વાલ્મય ૧૧૯ (દેહની અને સ્વભાવની ) સુકુમારતા, મધુરતા અને ભાવસંશુદ્ધિ ઉપર થતાં આક્રમણો વાર્તામાં ગંભીર કારુણ્યનું વાતાવરણ જમાવી દે છે. પ્રભાકર સોનલના પ્રેમને માટે નહિ, પણ તેની સાથેના લગ્નમાં રહેલા આનુષંગિક લાભ ઉપર મીટ માંડીને તેને પરણે છે. છતાં પોતાની વાસ્તવિક સ્થિતિનું સેનલને જરાસરખું સૂચન પણ કરતો નથી. આર્થિક તંગી અને સ્વમાનની કંઈક તંગ બનેલી ભાવના વચ્ચે અથડાતે પ્રભાકર અસત્ય, વાણી અને અનીતિના ગર્તમાં સરી પડે છે તેનું એક એક કર્મ સોનલની ઊંડી પ્રેમભાવનાના મૂળમાં ઘા કરતું રહે છે. કુટુંબની હૂંફની પિતાને અધિકારી ગણતી નિરાધાર સોનલને ભોળી, સાતેષી અને ભાવિક મેના મા-બહેન જેવી થઈ પડે છે. વ્યાવહારિક જીવનની સંકડામણથી અનભિજ્ઞ સોનલ અને એ સંકડામણોને હસતે મેએ સહી લેતી મેના-આ બંનેને સામે પલે છે કેસર. જીવનની વાસ્તવિકતાને સમજી ગયેલી અને તેથી વ્યવહારના ગજથી બધાને માપતી, જૂની ઢબની પણ ચતુર, સુધારાના આદર્શ પાછળ ઘેલા બનેલા પતિની જીવનનૌકાની કર્ણધાર બનેલી, પતિ પ્રત્યે હેતાળ હૃદયવાળી કેસર અને તેના પતિ મૂળચંદ માસ્તરનાં પાત્રોનું આલેખન સૂક્ષ્મતાભર્યું થયું છે. આ દંપતી અને પ્રભાકરના જીવન દ્વારા મુંબઈના મધ્યમવર્ગના જીવનનું ચિત્ર લેખક સારી રીતે રજૂ કરી શક્યા છે. સુંદરજી અને મેરલીના જીવન દ્વારા મુંબઈના ધનિક પ્રતિષ્ઠિત મનાતા વર્ગના જીવનની પામરતા દર્શાવી છે. સંસ્કારી અને વત્સલ હૃદયનો નાગરદાસ, શિસ્તપાલનને આગ્રહી અનંતરાય, હૃદયના સ્નેહને ખાતર દામ્પત્યજીવનના ત્યાગનું વ્રત પાળતો સંસ્કારી અને ગંભીર વૃત્તિને મહેશ વગેરે ગૌણ પાત્રો ઊંડી સમજથી આલેખાયાં છે. વાર્તામાં આરંભમાં કેવળ બાહ્ય અને પછી સોનલના હૃદયમાં અને પ્રભાકરમાં પણ આંતર સંઘર્ષણનું તત્ત્વ છે. સોનલનાં મનેમંથનના નિરૂપણમાં લેખકને સારી સફળતા સાંપડી છે. કેસર જેવા

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206