Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 174
________________ ગ્રન્થપરિચય ૧૬૫ નથી જણાતું. રામસંગ જેવી કેાઈ ઐતિહાસિક વ્યક્તિ હતી કે નહીં તેની મને પિતાને જાણ નથી એટલું સ્વીકારી લઉં છું. પણ હોય તો પણ આ નવલકથા “રોમાંચક” અને બેહૂદી ઘટનાઓ અને અકસ્માતોને લીધે નથી એતિહાસિક રહેતી, નથી નવલકથા રહેતી. અને આત્મકથાના ઘાટમાં મૂકવાથી વળી મર્યાદાએ લદાય છે. રામસંગનું પાત્ર કોઈ સ્પષ્ટ અને સુરેખ છાપ પાડી શકતું નથી. તરભોવનદાદા જેવાં ગૌણ પાત્રો વધારે ચમકદાર બન્યાં છે. લેખકની નાટયાત્મક તત્વની સૂઝ “ડ્રામેટીક સેન્સ' ઘણે સ્થળે વરતાય છે. રામસંગ સંસ્કૃત વાંચતાં શીખેલે પણ કેટલીય વાર એની (ભાષા) પંડિતને પણ મૂંઝવી નાખે તેવી સંસ્કૃતપ્રચુર છે. આ કૃતિ નવલકથા તરીકે ભાગ્યે જ સફળ ગણાય. ત્રીજુ પુસ્તક છે કિશોર માંકડ કૃત “તુફાન શમ્યું. શ્રી માંકડનો આ પ્રથમ પ્રયાસ છે. અને તે પણ મૂળ અંગ્રેજીમાં લખેલા નાટકને ગુજરાતીમાં રૂપાંતરિત કરવાનો. પહેલા પ્રયાસની બધી કચાશ આ નાટકમાં છે એમ કહેવું જોઈએ. વક્તવ્ય ગમે તેવું ઉદાત્ત હોય પણ તેનું કલેવર અને ઘડતર કલાત્મક ન હોય તે સાચી કલાકૃતિ ન સર્જાય. નાટક ભાગ્યે જ ભજવી શકાય તેવું છે. કેટલાક પ્રવેશમાં બે પ્રેમીઓની વાણી અને વર્તનમાં આવેશ સિવાય કશું દેખાતું નથી. શ્રી માંકડ પાસે ભાષાપ્રભુત્વ છે, વાણીનું લાલિત્ય પણ છે. આ ઉત્સાહી લેખક ખંતથી સાહિત્ય પાસના કરે તો ભવિષ્યમાં સારી કાવ્યકૃતિએ અવશ્ય આપી શકે. (આકાશવાણી મુંબઈ, ૧૭ ફેબ્રુઆરી, ૧લ્પ૮)

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206