Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 181
________________ ૧૭ર અક્ષરો ચાર નાટકોને અહીં એકત્ર છાપ્યાં છે. આમાંના બે શ્રી ઉમાશંકર જોશીનાં છે અને એકેક શ્રી સુંદરમ અને શ્રી ચંદ્રવદન મહેતાનું છે. શ્રી ઉમાશંકરનાં બેમાંનું પહેલું નાટક “દુર્ગા” તેમના “સાપના ભારા' નામના નાટિકા સંગ્રહમાંથી પુનર્મુદ્રિત કરવામાં આવ્યું છે. બ્રહ્મચર્યનું અડગે પાલન કરવાના આદર્શવાળા અને તે આદર્શને સિદ્ધ કરવા માટે સર્વસ્વ અર્પણ કરવા તૈયાર-એવા પતિને પનારે પડેલી, પતિના આદર્શને ઝીલવા મથતી છતાં સામાન્ય જીવનની મર્યાદાઓથી પર ન થઈ શકતી પત્નીના હૃદયની મથામણ આ નાટકનું કેન્દભૂત વસ્તુ છે. સાત સાત વરસ થયા પતિના આદર્શને પાળતી છતાં સ્ત્રીહદયની માતૃપદની ભૂખને ન રોકી શકતી દુર્ગા. “એક દિવસ તમે હારશો અને હું અને કુદરત જીતીશુ” એ આશાએ એક જ દે ચિનગારી'-એવી પ્રાર્થના પતિને અને પ્રભુને કરી રહી છે. હરનાથ તે પિતાના આદર્શની ઉચ્ચ ભૂમિકા ઉપરથી દુર્ગાને હિંદનાં તેત્રીસે કોટી તારાં જ સંતાન છે ને ! એવું સાંત્વન આપે છે. આથી તે દુર્ગાના હૃદયને આઘાત થાય છે. હરનાથ પોતાના નિયમ પ્રમાણે ફરવા ચાલ્યા જાય છે. દુર્ગાને એક તરફ આદર્શના ગગનચુંબી ડુંગર રૂંધી રહ્યા છે. બીજી તરફ હરનાથ બીજો પતિ કરી લેવાની છૂટ આપે છે છતાં સમાજનાં ધોરણ અને પિતાની ઉચ્ચાશયવાળી વૃત્તિ માર્ગ રોકે છે. આવી ક્ષોભવાળી સ્થિતિમાં દુર્ગાની વાસનાને ઉત્તેજિત કરતું બિહારીનું પાત્ર હરનાથના પ્રતિપાત્ર (counterfoil) જેવું રજૂ થાય છે. બિહારી સાથેના વાર્તાલાપથી દુર્ગાની વાસના ઉદ્દીપ્ત થાય છે તે જ ક્ષણે હરનાથ એકાએક આવીને એક ત્યજાયેલું બાળક લાવીને દુર્ગાને આપે છે અને ભાખે છે: “લે, તારી પ્રાર્થના ફળી.” હરનાથના આદર્શનું આ અસામાન્ય સ્વરૂપ પાર્થિવ હૃદયને ક્યાંથી સંતોષી શકે? તેને તો આ ક્રુર મશ્કરી જ લાગી. તેમ છતાં જ્યારે બિહારીએ હરનાથને દૂરગામી સ્થિતિ તરફ ” જેવા કહ્યું ત્યારે વાસનાને તૃપ્ત કરવા માટે ગમે તેવું વર્તન ન

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206