Book Title: Akshara
Author(s): Gauriprasad Zala, Ramanlal C Shah and others
Publisher: Ashok Prakashan

View full book text
Previous | Next

Page 156
________________ • “મસ્યગન્ધા અને ગાંગેય ૧૪૭. “ભીષ્મ' એ સુવિદિત નામ છોડીને “ગાંગેય” શા માટે પસંદ કર્યું હેય? વળી આખા નાટકમાં ગાંગેય તે “ગાંગેય'ના નામથી જ આવે છે. છેલ્લા પ્રવેશ સિવાય નાટકના અંતમાં ગાંગેય કેવળ ગાંગેય મટી-જે કે ગંગા જેવી માતાના અનુરૂપ પુત્ર થવું અને તે પુત્રત્વને દીપાવવું એ કંઈ નાનીસૂની વાત નથી–ભીષ્ય બને છે. આ ઉપરથી એમ જણાય છે કે કર્તાનો ઉદ્દેશ ભીષ્મની ભીષ્મતા સમજાવવાનો છે. ખરે, મહાભારતમાં જ ભીષ્મ “ભીષ્મ શા માટે કહેવાયા તે સમજાવવામાં આવ્યું છે, અને કર્તાએ એ પ્રસંગનો ઉપયોગ ઉપર જણાવ્યા પ્રમાણે આ નાટકમાં કર્યો જ છે. છતાં કર્તા કંઈક જાણે મહાભારતમાં દર્શાવેલી ભીષ્મની ભીષ્મતાથી અસંતુષ્ટ રહ્યા હોય, અને તેમાં રહેલી ઊણપ પુરી દેવા ઝંખતા હોય, અને તેથી કલ્પનાની પાંખો ઉપર ઊડી ભીષ્મની ભીષ્મતાનું યથાર્થ સ્વરૂપ શોધવા નીકળી પડયા હોય તેવું લાગે છે. કલ્પનાની મદદથી મહાભારતનો સાદો પ્રસંગ ઓર રૂપ પામે છે અને સરવાળે ભીષ્મનું ભમત્વ ભીમતર બને છે. કલ્પનાશક્તિથી કર્તાએ અનેક પ્રસંગે ઊભા કર્યા છે. રાજકુમાર ગાંગેય મૃગયા કરવા ગયા હતા તેવામાં તેણે મુખમાં વસ્ત્ર લઈ નાસતો. એક વાઘ જે. વાઘને મારી ગાંગેય જે દિશામાંથી તે વાઘ આવ્યો હતા તે દિશા તરફ જાય છે, અને એક સુંદર સરોવરમાં નહાતી એક “સ્વર્ગની સવાર જેવી વિમળ તેજરેખા' યુવતીને જુએ છે. તેને જોતાવેંત તેના હૃદયમાં અનુરાગ ઉત્પન્ન થાય છે. યુવતી એવી શરત કરે છે કે હું બે વરસ સુધી તપ કરવાની છું. તે દરમિયાન તમારે મારું નામ કે કુળ પૂછવું નહિ, તે ઉપરાંત જો કોઈ મનુષ્ય ન કરેલું તમે કરી બતાવશે તે હું તમને વરીશ. આ કલ્પિત સંગેની frame માં કર્તાએ મહાભારતની ઘટનાની છબી મઢી છે. આથી નાટકની વસ્તુનું સ્વરૂપ અતિ તીવ્ર (full of tension)

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206