Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 34
________________ ૧/૧૪/-/પ૨ થી ૫૫ મારવાડમાં રેતીના રણમાં પાણીની ભ્રાંતિ થાય છે, કેસુડા અંગારા જેવા લાગે છે, પણ સર્વજ્ઞના આગમમાં આવો કોઈ દોષ નથી. કેમકે તેમાં દોષ આવે તો સર્વજ્ઞવમાં હાનિ થાય. સર્વજ્ઞના સિદ્ધાંતને અસર્વજ્ઞનો સિદ્ધાંત પ્રતિષેધ ન કરી શકે. [૫૯]] શિષ્ય ગુરૂકુળવાસથી જિનવયન જ્ઞાતા થાય છે, તે વિદ્વાન સમ્યક મૂલોત્તર ગુણ જાણે છે. તેમાં મૂળગુણને આશ્રીને કહે છે - ઉદ્ધ, અધો, તિછ દિશાવિદિશામાં એમ કહી ક્ષેત્ર આશ્રિત પ્રાણાતિપાત વિરતિ બતાવી. હવે દ્રવ્યથી કહે છે - ત્રાસ પામે તે ત્રસ - અગ્નિ, વાયુ, બેઇન્દ્રિયાદિ. તથા સ્થાવરનામકર્મ ઉદયવર્તી પૃથ્વી, પાણી, વનસ્પતિ તથા તેના સૂક્ષ્મ, બાદર, પતિ, પર્યાપ્ત ભેદો છે. દશવિધા પ્રાણ ધારવાથી પ્રાણી. તેમાં સર્વકાળ-એમ કહીને કાળથી વિરતિ બતાવી. તેમાં જીવની રક્ષા કરતો સંયમ પાળે. ધે ભાવ પ્રાણાતિપાત વિરતિ કહે છે સ્થાવર જંગમ પાણીમાં તેના અપકાર કે ઉપકાર માટે મનથી જરા પણ દ્વેષ ને કરે, તેને કટુ વચન કહેવા કે મારવું તો દૂર રહ્યું, મનથી પણ તેનું શુભ ન ચિંતવે. સંયમથી ચલિત ન થઈ સદાચારને પાળે. આ રીતે યોગગિક, કરણગિક વડે દ્રવ્ય, હોમ, કાળ, ભાવરૂપ પ્રાણાતિપાત વિરતિને સમ્યમ્ રીતે રાગદ્વેષરહિતપણે પાળે. એ રીતે બાકીના મહાવ્રતો અને ઉત્તર-ગુણોને ગ્રહણ-આસેવન શિક્ષાથી સમ્યક્ આરાધે. [૫૯૪] ગુરુ પાસે રહેતા વિનયને કહે છે - સૂત્ર, અર્થ કે તદુભયમાં પ્રશ્ન પૂછવાના કાળે આચાર્યાદિને અવસર છે તે જાણીને • x • તે પ્રાણીના વિષયમાં ચૌદભૂતગ્રામ સંબંધી વાત કોઈ સારા આચાર કે બોધવાળા આચાર્યને પૂછે. તેમ પૂછે ત્યારે આચાર્યાદિ તેને ભણાવવા યોગ્ય સમજે. ભણાવનાર કેવા હોય? તે કહે છે - મુનિગમન યોગ્ય, ભવ્ય, રાગદ્વેષરહિત, દ્રવ્ય વીતરાગ અથવા તીર્થંકરના અનુષ્ઠાન, સંયમ કે જ્ઞાન અથવા તેમના પ્રણિત આગમને કહેનાર હોય, તે પૂજા વડે માનનીય છે. કેવી રીતે? આચાર્યાદિએ કહેલ કાને ધરે તે શ્રોબકારી, આજ્ઞાપાલક, આચાર્ય જે જુદુ ૬ વિવેચન કરે તે ચિતમાં ધારી સખે. શું ધારી રાખે? સમ્યક્ જાણીને, આ કેવલીએ કહેલ સન્માર્ગ, સખ્ય જ્ઞાનાદિ મોક્ષ માર્ગનું સ્વરૂપ આચાદિ બતાવે, તે ઉપદેશ, હૃદયમાં વ્યવસ્થિત સ્થાપે. [૫૫] વળી - આ ગુરુકુલવાસમાં રહેતાં જે શ્રુત સાંભળીને સારી રીતે હદયમાં સ્થાપીને, અવઘારે, તે સમાધિરૂપ મોક્ષમાર્ગમાં સારી રીતે સ્થિર થઈને મનવચન-કાયાથી, કરવા-કરાવવા-અનુમોદવા વડે આત્માને બચાવે અથવા જીવોને સદુપદેશ આપીને તેનું રક્ષણ કરે તે સ્વ-પર ત્રાસી, આ સમિતિ-ગુપ્તિ આદિ સમાધિમાર્ગમાં રહે તેને શાંતિ થાય છે - x - તથા બધાં કર્મોનો ક્ષય થાય છે, તેને જાણનાર કહ્યો છે. આવું કોણ કહે છે ? ઉદd, અધો, તિછ એ ત્રણ લોકને જોનાર છે તે લોકદર્શી - તીર્થકર, સર્વજ્ઞ. તે ઉક્ત રીતે સર્વ પદાર્થોને કેવળજ્ઞાન વડે જોઈને કહે છે. એ જ સમિતિ-ગુપ્તિવાળો સંસારનો પાર પામવામાં સમર્થ છે, એમ તીર્થકરે કહ્યું છે. પણ મધ-વિષયાદિ પ્રમાદ સંબંધ ન કરવો. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર • સૂત્ર-પ૯૬ થી ૫૯૯ : તે મિક્ષ અર્થની સમીક્ત કરીને પ્રતિભાવાનું અને વિશારદ થઈ જાય છે, તે આEાનાર્થી મુનિ તપ અને સંયમ પામીને, શુદ્ધ નિવહથી મોક્ષ મેળવે છે..જે સમ્યક્ પ્રકારે ધર્મ જાણીને તેની પ્રરૂપણા કરે છે, તે બુદ્ધ કમનો અંત કરે છે, તે પૂછેલા પ્રશ્નોના વિચારીને ઉત્તર આપી પોતાને તથા બીજને સંઘરથી છોડાવે છે, તથા ધર્મ સંસારનો પર પામે છે...પાજ્ઞ સાધુ અને છુપાવે નહીં, અપસિદ્ધાંત પ્રતિપાદન ન કરે. માન ન કરે, આત્મપ્રશંસા ન કરે, પરિહાસ ન કરે કે આશીર્વચન ન કહે... જીવહિંસાની શંકાથી પાપની ધૃણા કરે, મંગાપોથી ગૌત્રનો નિવહ ન કરે. પ્રજાજનો પાસેથી કોઈ વસ્તુની ઇચ્છા ન કરે કે અસાધુધર્મનો ઉપદેશ ન આપે. • વિવેચન-૫૯૬ થી ૫૯૯ : [૫૯૬ ગુરુકુલવાસી ભિક્ષુ દ્રવ્યનું વૃત્તાંત સમજીને સ્વતઃ મોઢાનો અર્થ સમજીને હેયોપાદેયને સમ્યક્ જાણીને નિત્ય ગુરુકુલવાસથી ઉત્પન્ન પ્રતિભાવાળો થાય છે. તથા સ્વસિદ્ધાંતના સમ્યક પરિજ્ઞાનથી શ્રોતાઓને યથાવસ્થિત અર્થોનો પ્રતિપાદક થાય છે. મોક્ષાર્થી જીવ જે આદરે તે આદાન-સમ્યગુ જ્ઞાનાદિ તેનું જે પ્રયોજન છે આદાનાર્ય, તે જેને હોય તે આદાનાર્થી. એવો તે જ્ઞાનાદિ પ્રયોજનવાળો બાર પ્રકારનો તપ, આશ્રવના રોધરૂપ સંયમ, તે તપ-સંયમ મેળવીને ગ્રહણ સેવનરૂપ શિક્ષા વડે યક્ત સર્વત્ર પ્રમાદરહિત, પ્રતિભાવાળો, વિશારદ, ઉદુગમાદિ દોષથી શુદ્ધ આહાર વડે પોતાનો નિવહિ કરતા બધાં કર્મના ક્ષયરૂપ મોક્ષને મેળવે. પાઠાંતર મુજબ - સ્વકર્મથી પરવશ ઘણાં જીવો મરે છે, તે મા-સંસાર, તે જન્મ, જસ, મરણ, રોગ, શોકથી આકુળ છે, તેમાં શુદ્ધ માર્ગ વડે આત્માને વતવિ, જેથી સંસાર ન પામે. અથવા પ્રાણ ત્યાગરૂપ મરણ ઘણી વાર ન પામે. કહે છે કે - સમ્યકcવથી અપતિત સાત-આઠ ભવમાં મોક્ષે જાય. [૫૯] આ પ્રમાણે ગુરુકુલ નિવાસીપણે ધર્મમાં સુસ્થિત બહુશ્રુત પ્રતિભાવાળા અર્થ-વિશારદ થઈ જે કરે તે બતાવે છે - જેના વડે સમ્યક્ કહેવાય તે સંખ્યા એટલે સુબુદ્ધિ, તેના વડે પોતે ધર્મ જાણીને બીજાને યથાવસ્થિત શ્રુત-ચાસ્ત્રિ ધર્મ સમજાવે છે અથવા સ્વ-પર શક્તિ જાણીને કે પર્મદા કે કહેવાનો વિષય બરાબર સમજીને ધર્મોપદેશ કરે છે. આવા પંડિત ત્રણ કાળનું સ્વરૂપ જાણનાર જન્માંતરના સંચિત કર્મોનો અંત કરનારા થાય છે. બીજાના પણ કર્મો દૂર કરાવનારા થાય છે, તે કહે છે તે યથાવસ્થિત ધર્મ બતાવનારા સ્વ-પરના કર્મબંધન મુકાવીને સ્નેહાદિ બેડી મુકાવી, સંસાર સમુદ્રથી પાર પામે છે. એવા તે સાધુઓ પૂર્વોત્તર વિરુદ્ધ શબ્દો બોલે છે. તે આ પ્રમાણે - પહેલા બુદ્ધિથી વિચારી આ પુરુષ કોણ છે ? કેવા વિષયને ગ્રહણ કરવા સમર્થ છે? હું તેને શું સમજાવવા સમર્થ છું ? એમ સમ્યક્ વિચારી ઉપદેશ આપે. અથવા બીજી કોઈ કંઈ વિષય પૂછે, તે પ્રશ્નને બરોબર વિચારીને ઉત્તર આપે.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120