Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 281
________________ ૨૮૦ આગમ કથાનુયોગ-૧ વાળનો એ રીતે) જમણે હાથે જમણી બાજુના અને ડાબે હાથે ડાબી બાજુના કેશોનો પોતાની મેળે જ પંચમુષ્ટિક લોચ કર્યો. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રએ પ્રભુના અંજન અને મેઘ સમાન કાળા, ઘટ્ટ અને ચમકતી એવા નિર્મળ છાયાવાળા તે કેશને, શ્રમણ ભગવંત મહાવીર સન્મુખ ઘુંટણ ટેકવી, પ્રભુના ચરણમાં ઝુકીને તત્પણ ગ્રહણ કર્યા. પછી તે ભગવંત! “આપની આજ્ઞા હો” એમ કહીને શીરોદધિ સમુદ્રમાં પધરાવ્યા. અહીં ત્રણ મત જોવા મળેલ છે :(૧) આચારાંગ સૂત્ર-પ૩ર મુજબ – તે કેશને વજમય થાળમાં ગ્રહણ કર્યા. (૨) આવશ્યક ચૂર્ણિ–૧-પૃ. ૨૬૭ મુજબ – તે કેશને હંસલક્ષણ શ્વેત વસ્ત્રપટ્ટમાં ગ્રહણ કર્યા. (૩) આવશ્યક ભાષ્ય–૧૦૭ મુજબ – ગ્રહણ કર્યા. (એટલો જ ઉલ્લેખ છે.). - પંચમુષ્ટિક લોચ કર્યા બાદ “નમોજૂર્ણ સિદ્ધાણં' એમ કહીને સિદ્ધ ભગવંતોને નમસ્કાર કર્યા. નમસ્કાર કરીને “હવે મારે સર્વ પાપકર્મ અકરણીય છે” એ પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કરે છે. પછી સામાયિક ચારિત્ર ગ્રહણ કરે છે. તે સમયે શક્રના વચન સંદેશથી તુરંત જ દેવો અને મનુષ્યોનો કોલાહલ તથા વાજિંત્ર સમુહ, ગીત, ગાન આદિનો ધ્વનિ બંધ થઈ ગયો. ત્યાં ઉપસ્થિત સમગ્ર દેવ સમુહ અને મનુષ્યગણ ભીંત પર ચિતરેલા ચિત્ર જેમ સ્થિત થઈ ગયો અર્થાત્ ચિત્રવત્ નિશ્રેષ્ઠ–નિસ્તબ્ધ થઈ ગયા. તે વખતે ભગવંતે “કિ સામાં સવ્વ સવિન્ન નો પર્દાવરવામિ' પાઠનો ઉચ્ચાર કર્યો. અર્થાત્ પ્રતિજ્ઞા કરી. તેમાં અંતે શબ્દનું ઉચ્ચારણ કરતા નથી. કેમકે તીર્થકરોનો એ પ્રમાણેનો શાશ્વત આચાર છે. આ પ્રતિજ્ઞા ગ્રહણ કરીને ભગવંત સર્વવિરતિ ચારિત્રવંત થયા. એ રીતે ભગવંત ચારિત્ર અંગીકાર કરીને અહર્નિશ સમસ્ત પ્રાણીઓ અને ભૂતોના હિતમાં સંલગ્ન થઈ ગયા. સર્વે દેવગણ પણ આ સાંભળીને હર્ષથી પુલકિત થઈ ગયો. ૦ ભગવંતને મન:પર્યવજ્ઞાનની ઉત્પત્તિ : જે સમયે મહાવીર સ્વામીએ સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું, તે સમયે જ અર્થાત્ સાયોપથમિક સામાયિક ચારિત્ર ગ્રહણ કરતાં જ શ્રમણ ભગવંત મહાવીર મનુષ્યધર્મથીગૃહસ્થધર્મથી પછીનું (સાધુધર્મમાં ઉત્પન્ન થનારું) મન:પર્યવ નામનું જ્ઞાન ઉત્પન્ન થયું. જેના દ્વારા ભગવંત અઢીદ્વીપ અને મધ્યના બે સમુદ્રમાં સ્થિત સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત વ્યક્ત મનવાળા જીવોના મનોગત ભાવોને જાણવા લાગ્યા. તીર્થકર ભગવંતો ગૃહવાસમાં હોય છે ત્યારે પણ મતિ, ભુત, અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત હોય જ છે. જયારે સર્વવિરતિ ચારિત્ર અંગીકાર કરે ત્યારે ચાર જ્ઞાનના સ્વામી બને છે. છઘ0 કાળ સુધી અર્થાત્ કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી તેઓ ચતુર્ગાની રહે છે. દીક્ષા વખતે ભગવંત નિર્જળ છઠ તપ વડે યુક્ત હતા. ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે દીક્ષા ગ્રહણ કરેલી. તે વખતે ઇન્દ્ર ભગવંતને ડાબા ખભે એક દેવદૂષ્ય વસ્ત્ર સ્થાપન કરેલું તે એક જ વસ્ત્ર ગ્રહણ કરીને એકલા નીકળ્યા. તેઓ અદ્વિતીય હતા એટલે કે જેમ ભગવંત ઋષભ ૪,૦૦૦ સાથે, ભમલ્લિભ પાર્થ ૩૦૦-૩૦૦ સાથે, ભવાસુપૂજ્ય ૬૦૦ સાથે અને શેષ ઓગણીશ તીર્થકર ૧૦૦૦–૧૦૦૦ સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386