Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 338
________________ તીર્થકર ચરિત્ર-ભ૦મહાવીર–કથા ૩૩૭ ભોગના કટુ પરિણામથી પરિજ્ઞાત ભગવંતે કામભોગ સમસ્ત પાપકર્મોનું મૂળ કારણ છે તેમ સમજી લીધુ હતું. (૧૮) સર્વ પ્રકારે કર્મબંધનું કારણ સમજીને ભગવંતે આધાકર્માદિ દોષયુક્ત આહારનું સેવન કર્યું ન હતું. ભવિષ્યમાં જે આહાર થોડાં પણ પાપકર્મનું કારણ થાય તો તે પણ ગ્રહણ ન કરતા ભગવંત પ્રાસુક–નિર્દોષ આહાર ગ્રહણ કરતા હતા. (૧૯) ભગવંત બીજાના વસ્ત્રનો પણ ઉપભોગ કરતા ન હતા. બીજાનાં પાત્રમાં ભોજન પણ કરતા ન હતા. તેઓ માન–અપમાનને છોડીને કોઈનું પણ શરણ લીધા વિના ભિક્ષાર્થે ગૃહસ્થોની ભોજનશાળામાં જતા હતા. (૨૦) તે મુનિ (ભ,મહાવીર) અશન–પાનની માત્રાને જાણતા હતા. રસોમાં આસક્ત ન હતા. ભોજન સંબંધિ પ્રતિજ્ઞા (ધારણા કે આકાંક્ષા) પણ કરતા ન હતા. આંખોમાં જકણ આદિ પડી જાય તો પણ તેનું પ્રમાર્જન કરતા ન હતા અને ખણ આવે તો શરીરને ખંજવાળતા ન હતા. (૨૧) ભગવંત ચાલતી વખતે આજુ-બાજુ કે પાછળ જતા ન હતા. તેઓ મૌનપણે ચાલતા હતા. કોઈના પૂછવા બોલાવવા પર પણ બોલતા ન હતા. પરંતુ જયણાપૂર્વક માર્ગને જોતાજોતા ચાલતા હતા. (૨૨) તે અણગાર (ભ,મહાવીર) દેવદૂષ્ય–વસ્ત્રનો પણ ત્યાગ કરી ચૂક્યા હતા. હવે તેઓ શીતકાળમાં પણ માર્ગમાં પોતાના બંને હાથ ફેલાવીને ચાલતા હતા અને તેને ખંભા ઉપર રાખીને ઊભા રહેતા હતા. (૨૩) મતિમાનું મહામાહણ મહાવીરે સર્વથા નિદાન કર્મથી રહિત થઈને ઉક્ત પ્રકારે વિહારચર્યા વિધિનું આચરણઅનુસરણ કર્યું હતું તેમ હું કહું છું. ૦ ભગવંતની સચ્ચા–નિષદ્યા : (૧) હે ભદંત ! ચર્યાની સાથે સાથે ભગવંતે આસન અને શય્યા સ્થાન પણ બતાવેલા છે. તો આપ મને તે શય્યા–નિષદ્યાને જણાવો. જેનું સેવન ભગવંતે કરેલું હતું. (એમ જંબુસ્વામીએ સુધર્મા સ્વામીને પૂછ્યું. ત્યારે સુધર્માસ્વામીએ કહ્યું કે) (૨) કયારેક તે ભગવંત મહાવીર શૂન્ય ઘરમાં, સભાભવનમાં, પાણીની પરબોમાં કે દુકાનોમાં નિવાસ કરતા હતા. કયારેક લુહારની શાળામાં, ઘાસના ઢેર લાગ્યા હોય તેવા ચારાગૃહમાં ભગવંત નિવાસ કરતા હતા. (૩) કોઈ વખતે ભગવંત યાત્રીગૃહમાં, આરામગૃહમાં, ગામમાં કે નગરમાં નિવાસ કરતા હતા. ક્યારેક શ્મશાનમાં, શૂન્યગૃહમાં અથવા વૃક્ષની નીચે વાસ કરતા હતા. (૪) મુનીન્દ્ર શ્રમણ ભગવંત મહાવીર આ પૂર્વોક્ત સ્થાનોમાં તપસાધનામાં નિમગ્ન રહીને (સાડા બાર વર્ષ પર્યત) રાત-દિવસ જયણાર્પક, પ્રમાદ રહિત અને સમાધિયુક્ત થઈને ધ્યાનસ્થ રહ્યા. (૫) ભગવંત નિદ્રા લેતા ન હતા. કદાચ ઝોકું આવી જાય તો ઊભા થઈને પોતાના આત્માને જાગૃત કરતા હતા. કિંચિત્ માત્ર નિદ્રા જણાય તો સાવધાન થઈને ચાલવા લાગતા હતા. નિદ્રા લેવાની આકાંક્ષાથી રહિત હતા. ૧/૨ | International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386