Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 356
________________ તીર્થંકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૩૫૫ અગિયાર પણ ભગવંતના શિષ્ય બન્યા. ભગવંતને એક–એક પ્રદક્ષિણા કરતા ત્રણ પ્રદક્ષિણામાં આ અગિયારે ભગવંતને “તત્ત્વ શું છે ?” તે જાણવા જિજ્ઞાસા વ્યક્ત કરી. ત્યારે ભગવંતે તેઓને અનુક્રમે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણ પદરૂપ ત્રિપદી આપી. ઉત્પાદ એટલે દરેક પદાર્થો ઉત્પન્ન થાય છે. વ્યય એટલે દરેક પદાર્થ નાશ પામે છે. ધ્રૌવ્ય એટલે દરેક પદાર્થ નિત્ય છે. ભગવંત પાસેથી ત્રિપદીનું આ સ્વરૂપ જાણી તે ગણધરોએ ગણધર નામકર્મના ઉદયથી અંતમુહૂર્તમાં દ્વાદશાંગીની રચના કરી. પછી ભગવંતે તેમને ગણધરપદે સ્થાપ્યા. તે વખતે શક્રેન્દ્ર દિવ્યચૂર્ણનો ભરેલો વજય દિવ્યથાળ લઈને ભગવંત પાસે ઊભા રહ્યા. ભગવંતે સમવસરણમાં સિંહાસન પરથી ઉઠીને તે દિવ્ય ચૂર્ણની મુઠ્ઠી ભરી. તે વખતે ઇન્દ્રભૂતિ (ગૌતમ) આદિ અગિયાર ગણધરો સહેજ નમ્યા. અનુક્રમે ભગવંતની પાસે ઊભા રહ્યા. દેવવાજિંત્ર અને ગાન બંધ કરાયા. પછી ભગવંત મહાવીર બોલ્યા કે, ઇન્દ્રભૂતિને દ્રવ્ય, ગુણ, પર્યાય વડે તીર્થની અનુજ્ઞા આપું છું." એમ કહી ઇન્દ્રભૂતિ ગૌતમના મસ્તક પર વાતચૂર્ણનો લેપ કર્યો. પછી અનુક્રમે એ જ પ્રમાણે બીજા દશના મસ્તક પર વાસચૂર્ણનો લેપ કર્યો. ત્યાર પછી દેવોએ પણ અગિયાર ગણધર પર ચૂર્ણ, પુષ્પ, સુગંધી પદાર્થોની વૃષ્ટિ કરી, કાળક્રમે સુધર્મા ગણધર સર્વ મુનિઓના અગ્રેસર થયા. તેમની નિશ્રામાં સઘળો સમુદાય રહ્યો. ૦ તીર્થ પ્રવર્તન અને ધર્મ : એ રીતે શ્રમણ ભગવંત મહાવીરને બીજા સમવસરણમાં તીર્થની સ્થાપના થઈ. મહસેનવન ઉદ્યાનમાં વૈશાખ સુદ અગિયારસના દિવસે પ્રથમ પોરિસિમાં દેશનાકાળે દેવ વિરચિત સમવસરણમાં ભગવંતે તીર્થ સ્થાપના કરી. ચતુર્વિધ સંઘ સ્થપાયો જેમાં ભગવંતના પ્રથમ શિષ્ય ઇન્દ્રભૂતિ થયા, પ્રથમ શિષ્યા ચંદના થયા (જે ચંદનબાલા નામે પ્રસિદ્ધ છે.) શંખ અને શતક આદિ શ્રાવક થયા અને સુલસા અને રેવતી આદિ શ્રાવિકા થયા. એ રીતે મધ્યમ પાવાપુરી નગરીમાં ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. ભગવંત મહાવીર (પ્રથમ તીર્થકર ઋષભદેવની માફક) પંચ મહાવ્રત રૂપ સાધુધર્મ ઉપદેશ્યો. (વચ્ચેના બાવીશ તીર્થકરોમાં ચતુર્યામરૂપ સાધુધર્મ હતો) સામાયિક અને છેદોપસ્થાપનીય એમ બે પ્રકારનો સંયમધર્મ પ્રવર્તાવ્યો. (વચ્ચેના બાવીશ તીર્થકરોમાં માત્ર સામાયિક સંયમ હતો) સત્તર ભેદે સંયમ ધર્મ કહ્યો. ભગવંતના શાસનના સાધુસાધ્વીઓને દુરાગેયતા, દુર્વિભાજ્યતા, દુર્દર્શતા, દુસહતા અને દુરનુચરતા એ પાંચ કારણે ધર્મનો ઉપદેશ પામવો કઠિન હતો. ૦ ભગવંત મહાવીરનું વર્ણન – (2 આ વર્ણન આવશ્યક પૂર્ણિમાં ભગવંતના અભિનિષ્ક્રમણ વખતે સંક્ષેપમાં છે. ને ઉવવાઈ સૂત્ર–૧૦ કેવળજ્ઞાન પછી ચંપાનગરીમાં પધાર્યા તે વખતે આવે છે.) તે સમયે શ્રમણ ભગવંત મહાવીર (જે હવે પછી કહેવાનારા વિશેષણોથી યુક્ત હતા) તેઓ આદિકર, તીર્થંકર, સ્વયંસંબુદ્ધ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવરપુંડરીક, પુરુષવરગંધહસ્તિ, અભયદાતા, ચક્ષુદાતા, માર્ગદાતા, શરણદાતા, જીવનદાતા, ભવસાગરમાં દ્વીપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386