Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 349
________________ આગમ કથાનુયોગ-૧ અથવા સ્થળમાંથી ઉત્પન્ન મણિઓ, જળમાંથી ઉત્પન્ન રત્નો અને સુવર્ણ દ્વારા આશ્ચર્યકારી એવા ઊંચા ભૂમિતળને બનાવે છે. ૩૪૮ ૪. પછી તે યોજન પ્રમાણ ભૂમિમાગને બધી દિશાઓથી સુગંધીયુક્ત કરે છે. ૫. પછી તે મણિ, કનક, રત્નના આશ્ચર્યકારી ભૂમિતળ ઉપર અધોમુખ ડીંટાવાળા, સુગંધી, જળસ્થળમાં થયેલા દિવ્ય કુસુમો લાવીને તેના ઉપર ચારે તરફ પંચરંગી પુષ્પોની વૃષ્ટિ કરે છે. જેની પ્રબળ સુગંધ ફેલાય છે. ૬. પછી ચારે દિશાઓમાં મણિ, કનક, રત્નના બનાવેલા તોરણો બાંધે છે. તેમાં છત્રયુક્ત, શાલભંજિકા (થાંભલાની પુતળીઓ) હોય છે. મગરના મુખવાળી ધજાઓ, સ્વસ્તિકાદિની રચના કરેલી હોવાથી તે તોરણો અતિ મનોહર લાગે છે. આ સર્વ કાર્યો વ્યંતર દેવો કરે છે. ૭. પછી વિચિત્ર રત્નોના અને મણિકંચનના કાંગરાવાળા સુંદર એવા ત્રણ પ્રાકારોને દેવગણ વિકુર્વે છે. તે આ પ્રમાણે ૮. અત્યંતર એવો પ્રથમ પ્રાકાર (ગઢ) વૈમાનિક દેવો વિકુર્વે છે. તે આખો ગઢ રત્નનો બનેલો હોય છે. તેના પર પંચવર્ણના મણિમય કાંગરા બનાવેલા હોય છે. ૯. મધ્યમ એવો બીજો પ્રાકાર (ગઢ) જ્યોતિષ્ક દેવો વિકુર્વે છે. તે આખો સુવર્ણનો બનેલો હોય છે. તેના પર વિવિધ પ્રકારના રત્નોના કાંગરા હોય છે. ૧૦. બાહ્ય એવો ત્રીજો ગઢ ભવનપતિ દેવો વિકુર્વે છે. તે આખો ગઢ રૂપાનો બનેલો હોય છે. તેના ઉપર સુવર્ણના કાંગરા હોય છે. ૧૧. તે દરેક ગઢને સર્વરત્નમય એવા ચાર—ચાર દ્વારો તે—તે દેવોએ બનાવેલા હોય છે. આ દ્વારો પર મૂળથી સર્વરત્નમય એવા સુવર્ણના બનેલા પતાકા અને ધ્વજાથી યુક્ત તોરણો લટકાવે છે. જે તોરણોમાં સ્વસ્તિકાદિ અષ્ટ મંગલ આલેખેલા હોય છે. ૧૨. તે દ્વાર પાસે અથવા ફરતા ધૂપના પાત્રો વ્યંતર દેવો મૂકે છે. જેમાં કૃષ્ણાગ, કુન્નુરુક્ક આદિ મિશ્રિત ધૂપની મનોહર ગંધ ફેલાતી હોય છે. ત્યાં ઉત્કૃષ્ટ સિંહનાદ કરતા અને સર્વદિશાઓમાં ‘કલકલ' ધ્વનિ ફેલાવતા દેવો તીર્થંકરના ચરણકમળમાં આવીને નમે છે. ૧૩. અત્યંતર પ્રાકાર, પ્રથમ ગઢની બરાબર મધ્યમાં ભગવંતની ઊંચાઈ કરતા બાર ગણું ઊંચું ચૈત્યવૃક્ષ વ્યંતર દેવો રચે છે. ભગવંત મહાવીર માટે રચાયેલ ચૈત્યવૃક્ષ બત્રીશ ધનુષ ઊંચુ હતું. પ્રત્યેક ઋતુમાં તેમાં પુષ્પ પાન આદિ સમૃદ્ધિ વિદ્યમાન રહેતી. તે અશોકવૃક્ષ, શાલવૃક્ષથી આચ્છાદિત હતુ. સર્વ જિનના ચૈત્યવૃક્ષ છત્ર, ધ્વજા, પતાકા યુક્ત, વેદિકાવાળા, તોરણોથી સુશોભિત તથા સુર, અસુર અને ગરુડ દેવોથી પૂજિત હતા. (* જુઓ સમવાય સૂત્ર ૩૦૧, ૩૦૨) તે ચૈત્યવૃક્ષની નીચે વિવિધ રત્નોથી નિર્મિત્ત એક પીઠ હતી. તેની ઉપર મણિમય દેવચ્છેદક હતો. તે દેવસ્કંદકની મધ્યમાં પાદપીઠ સહિત સિંહાસન હતું. તેની ઉપર—ઉપર એમ ત્રણ છત્રો હતા. તેની આસપાસ હાથમાં ચામર લઈને ઊભેલા બે યક્ષો હતા. દ્વાર ઉપર સુવર્ણ કમળમાં રહેલ એક ધર્મચક્ર હતું. તે સિવાય બીજા પણ કરવા યોગ્ય સર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386