Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 329
________________ ૩૨૮ આગમ કથાનુયોગ-૧ આચારો આવે છે તે તું કહે. તેણે કહ્યું કે, ઘણાં પ્રકારના અભિગ્રહ હોય છે. તેથી કોણે શું ધારણા કરી છે તે જાણી શકાય નહીં. સાત પ્રકારે પિSષણા અને સાત પ્રકારની પારૈષણા વિષયક દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ વિવિધ અભિગ્રહો થઈ શકતા હોવાથી, તે વિશે અભિપ્રાય બાંધવો કઈ રીતે શક્ય બને ? ત્યારે રાજાએ લોકોને પરલોકનું હિત સમજાવી, સર્વત્ર લોકોને આજ્ઞા કરી કે, ભગવંતનો અભિગ્રહ પૂર્ણ થાય તેમ કરવું. ભગવંત ગૌચરી માટે નીકળતા. લોકો વિવિધ પ્રકારે આહાર વહોરાવવા પ્રયત્ન કરતા, પણ ભગવંત અભિગ્રહ પુરો ન થવાથી કંઈ ગ્રહણ કરતા ન હતા. આ તરફ એક બીજો પ્રસંગ બન્યો શતાનીક રાજાએ ચંપાનગરી પર ચડાઈ કરી. વિશાળ સૈન્ય સાથે જઈને ઓચિંતા જ નગરને ઘેરી લીધું. ત્યારે ત્યાંનો રાજા દધિવાહન નાસી છૂટ્યો. રાજાએ પણ નગરી લુંટવા આદેશ આપ્યો. શતાનીક રાજાના એક સુભટે દધિવાહન રાજાની પત્ની રાણી ધારિણી દેવી તથા તેની પુત્રી વસુમતીને પકડીને પોતાના કન્જામાં લીધી. રાજા ત્યાંથી પાછો ફર્યો. તે સુભટે કહ્યું કે, આ મારી પત્ની છે અને આ બાલિકાને હું વેંચી દઈશ. રાણી ધારિણી તે ઘટનાથી મનોમન ખૂબ દુઃખી થઈ, તેને થયું કે, આ મારી પુત્રીને ન જાણે શું કરશે ? એમ વિચારતા મૃત્યુ પામી. ત્યારે તે સુભટને ચિંતા થવા લાગી કે, “આ મારી પત્ની થશે તેમ મેં અનુચિત કહ્યું. હવે તેની પુત્રીને કશું કહીશ નહીં. જો તે પણ મરી જશે તો મને તેનું કશું મૂલ્ય ઉપજશે નહીં. પછી તે સુભટ ફરતા–ફરતા કૌશાંબી આવ્યો. ત્યાં વસુમતીને બજારમાં વેચવા ઊભી રાખી. ધનાવહ શ્રેષ્ઠીએ તેને જોઈ. અલંકાર રહિત હોવા છતાં પણ તેનું લાવણ્ય એટલું બધું દીસીમાનું હતું કે, ધનાવડને થયું કે નક્કી આ કોઈ રાજા અથવા ઈશ્વરની પુત્રી હોવી જોઈએ. તે રાજકન્યાને કોઈ વિપત્તિ ઉત્પન્ન ન થાય તે માટે સુભટે જે મૂલ્ય માગ્યું, તે આપી દઈને તે રાજકન્યાને ગ્રહણ કરી લીધી. પછી પોતાના ઘેર લાવી, પોતાની પુત્રીરૂપે રાખી. તેને સ્નાન કરાવડાવ્યું. તેણે પોતાની પત્ની મૂલાને પણ કહ્યું. આ તારી પુત્રી છે. વસુમતી પણ પોતાના જ ઘેર રહેતી હોય તેમ સુખપૂર્વક રહેવા લાગી. તેણીએ પોતાના શીલ અને વિનયગુણ વડે દાસ–પરિજન આદિ સર્વ લોકને પોતાના કરી લીધા. ત્યારે તે સર્વે લોકો કહેવા લાગ્યા કે, આ શીલચંદના છે. ત્યારથી તેનું નામ ચંદના થઈ ગયું. એ પ્રમાણે કાળ વહેતો ગયો. મૂલા શેઠાણી દ્વારા તે અપમાન અને ઇર્ષ્યાનો ભોગ બનવા લાગી. મૂલાના મનમાં થવા લાગ્યું કે, ક્યાંક શેઠ આને પત્નીરૂપે રાખી લેશે તો હું આ ઘરની સ્વામીની પણ નહીં રહું. ચંદનાના વાળ ઘણાં જ લાંબા, રમણીય અને કાળા હતા. એક વખત મધ્યાલે ધનાવહ શ્રેષ્ઠી ઘેર આવ્યા. ત્યાં કોઈ નોકર-ચાકરને ન જોવાથી શેઠ પોતાની મેળે પગ ધોતા હતા, ત્યારે ચંદના ત્યાંથી પાણી લઈને નીકળી. શેઠે તેણીને રોકી તો પણ તે શેઠના પગ ધોવા પ્રવૃત્ત થઈ. એ વખતે તેના બાંધેલા વાળ છૂટી ગયા તે વખતે ધનાવહ શેઠને થયું કે, “આ પુત્રીના વાળ કાદવમાં પડીને ખરડાય નહીં તે માટે શેઠે લાકડી વડે તેણીના વાળ ઊંચા કરી હાથમાં લઈને બાંધી દીધા. ગોખમાં બેઠેલી મૂલા શેઠાણીએ આ દૃશ્ય જોયું. મૂલા શેઠાણીના મનમાં થઈ ગયું. ખલાસ ! પિતા-પુત્રીના સંબંધમાં આવી ચેષ્ટા હોય જ નહીં. હવે જો શેઠ આને પરણી જશે તો હું તો નકામી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386