Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 300
________________ તીર્થકર ચરિત્રભ૦મહાવીર–કથા ૨૯૯ સંયુક્ત પરમાત્ર (ખીર) વડે ભગવંતને પ્રતિલાભિત કરીશ એવો વિચાર કર્યો. ઘીખાંડયુક્ત પરમાન્ન વહોરાવ્યું યાવત્ વહોરાવતા પૂર્વે–વહોરાવતી વેળાએ વહોરાવ્યા પછી પણ તે ઘણો સંતુષ્ટ થયો. યાવતું ત્યાં પંચદિવ્યો પ્રગટ થયા. યાવતું બહુલ બ્રાહ્મણનો મનુષ્ય જન્મ અને જીવન ફળ પ્રશંસનીય છે ઇત્યાદિ પ્રશંસા કરવા લાગ્યા. તે વખતે ગોશાળાએ તંતુવાય શાળામાં ભગવંતને ન જોયા. રાજગૃહ નગરની અંદર કે બહાર પણ બધી જગ્યાએ ભગવંતને શોધવા પ્રયત્ન કર્યો. પણ જ્યાંય ભગવંતની કૃતિ, યુતિ કે પ્રવૃત્તિ ન જાણી ત્યારે પાછો તંતવાય શાળામાં ચાલ્યો ગયો. તેને પોતાના ઉપકરણાદિ પર ધિક્કાર છુટ્યો. ત્યાં તેણે તેની શાટિકા, પાટિકા, કુંડિકા, ઉપાનહ અને ચિત્રપટ આદિ બધું જ બ્રાહ્મણોને આપી દીધું. પછી દાઢી-મૂછ સહિત મુંડન કરાવ્યું. ત્યાર પછી તંતુવાય શાળાની બહાર નીકળ્યો અને નાલંદાના બહારના ભાગથી મધ્યમાં થઈને કોલ્લાગ સંનિવેશમાં આવ્યો. તે સમયે કોલ્લાગ સંનિવેશની બહાર ઘણાં લોકો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહી રહ્યા હતા યાવતુ પ્રરૂપણા કરતા હતા. હે દેવાનુપ્રિયો ! બહુલ બ્રાહ્મણ ધન્ય છે – યાવત્ – બહુલ બ્રાહ્મણનો માનવજન્મ અને જીવનરૂપ ફળ પ્રશંસનીય છે. તે સમયે ઘણાં લોકો પાસે આ વાત સાંભળીને અને અવધારીને તે મખલિપુત્ર ગોશાલકના હૃદયમાં આવા પ્રકારનો અધ્યવસાય યાવત્ સંકલ્પ સમુત્પન્ન થયો. મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીરને જેવી ઋદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ ઉપલબ્ધ—પ્રાપ્ત અને અભિસમન્વાગત થયા છે, તેવી ઋદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમ આદિ અન્ય કોઈપણ તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને ઉપલબ્ધ—પ્રાપ્ત અને અભિસમન્વાગત થયા નથી. તેથી નિઃસંદેહ મારા ધર્માચાર્ય ધર્મોપદેશ શ્રમણ ભગવંત મહાવીર અવશ્ય અહીં હશે. એમ વિચારી ને કોલ્લાગ સંનિવેશની અંદરબહાર સર્વત્ર મારી શોધ કરવા લાગ્યો. સર્વત્ર શોધ કરતા તેને કોલ્લાગ સંનિવેશના બહારના ભાગની મનોજ્ઞ ભૂમિમાં મારી સાથે મિલન થયું. તે વખતે ગોશાલકે પ્રસન્ન અને સંતુષ્ટ થઈને ભગવંતને ત્રણ વખત જમણી તરફથી પ્રદક્ષિણા કરી યાવત્ વંદન-નમસ્કાર કર્યા. (આ પ્રમાણે પૂર્વે ત્રણ માસક્ષમણના પારણે ગોશાળાએ કરેલું હતું.) પછી તેણે આ પ્રમાણે કહ્યું કે, ભગવંત ! તમે મારા ધર્માચાર્ય છો અને હું તમારો શિષ્ય છું. (ભગવતી સૂત્ર-૬૩લ્માં જણાવે છે કે, આ વખતે (ચોથીવાર આવી વિનંતી કરી ત્યારે) મખલિ પુત્ર ગોશાલકની આ વાત ભગવંતે સ્વીકારી. (આવશ્યક ચૂર્ણિમાં આપેલ આવ.નિયુક્તિ–૪૭૪માં સા હું વાહિં તુ' પાઠ છે. આવશ્યક વૃત્તિમાં–નિર્યુક્તિ ૪૭૪માં સાન ફટ્ટ વ્ય' પાઠ છે. આવશ્યક નિર્યુક્તિ અવચૂર્ણિમાં આ જ પાઠ છે. ત્યાં અવમૂર્ણિમાં જણાવે છે કે- ત્યારે ગોશાળો બોલ્યો કે, “હે ભગવંત ! મને તમારી પ્રવજ્યા હો–થાઓ" કલ્પસૂત્ર વૃત્તિમાં પણ જણાવે છે કે- હવેથી મને આપની દીક્ષા હો, હે સ્વામી ! મને શિષ્ય તરીકે સ્વીકારો) ત્યારપછી ભગવંત મંખલિપુત્ર ગોશાળાની સાથે તે પ્રણિત ભૂમિમાં છ વર્ષ સુધી લાભ–અલાભ, સુખ–દુઃખ, સત્કાર-અસત્કારનો અનુભવ કરતા અનિત્યતાજાગરિકા કરતા વિહાર કરતા રહ્યા. તે આ પ્રમાણે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386