Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અરિષ્ટનેમિ કે દર્શન કે લિયે જાતે હુયે કૃષ્ણ ના માર્ગ મેં સોમિલ બ્રાહ્મણ પુત્રી સોમાકો દેખના ઔર ગજસુકુમાલ
કી પત્ની રૂપ સે સોમાકા વરણ કરના
તેને જોઈને કૃષ્ણવાસુદેવે પિતાના મૂલ્યને બોલાવ્યા અને આ પ્રમાણે આજ્ઞા કરી- હે દેવાનુપ્રિય! તમે લેકે સામિલ બ્રાહ્મણની પાસે જાઓ અને તેની પાસેથી તેની કન્યાની યાચના કરી. તે પછી તેની કન્યા સામાને લઈને કન્યાઓના અંત:પુરમાં પહોંચાડે. આ સેમા દારિકા ગજસુકુમાલ કુમારની ભાર્યા થશે પછી આજ્ઞા પ્રમાણે તે રાજસેવક સમિલ બ્રાહ્મણની પાસે ગયા અને તેની પાસે કન્યાની યાચના કરી. સમિલ બ્રાહ્મણે પ્રસન્નચિત્તથી તે કન્યાને તે રાજપુરુષોને સોંપી દીધી. તેમણે તે કન્યાને કૃષ્ણવાસુદેવના કન્યાના અંતઃપુરમાં રાખી. ત્યારપછી કૃષ્ણવાસુદેવે દ્વારાવતી નગરીની વચ્ચોવચ્ચ થઈ સહસામ્રવન ઉદ્યાનમાં જ્યાં ભગવાન અહંત અરિષ્ટનેમિ બિરાજતા હતા ત્યાં જઈ તેમને વંદન નમસ્કાર કર્યા અને ભગવાનની ઉપાસના કરવા લાગ્યા ત્યારપછી ભગવાન્ અર્હત્ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવ અને ગજસુકુમાલને માટે તે વિશાળ પરિષદમાં ધર્મોપદેશ કર્યો. પછી ધર્મકથા સાંભળી કૃણવાસુદેવે પિતાના મહેલ તરફ પ્રસ્થાન કર્યું. (સૂ) ૨૪)
ગજસુકુમાલ કા દીક્ષા ગ્રહણ કરને કા વિચાર
પરન્તુ ગજસુકુમાલને ભગવાન અરિષ્ટનેમિની વાણી સાંભળી વૈરાગ્ય ઉત્પન્ન થયું. આથી તેમણે હાથ જોડી ભગવાનને નિવેદન કર્યું કે—હ ભદન્ત! હું મારા માતાપિતાને પૂછીને આપની પાસે દીક્ષા ગ્રહણ કરીશ. એ પ્રકારે મેઘકુમારની પેઠે ભગવાનને નિવેદન કરી પિતાને ઘેર આવ્યા, અને માતાપિતાને પિતાને અભિપ્રાય કહી સંભળાવ્યું. માતાપિતા તેની દીક્ષાની વાત સાંભળી તેને કહ્યું –
હે વત્સ! તમારે હજી વિવાહ પણ થયે નથી અને હજી તમે વંશવૃદ્ધિ કરી નથી માટે તમે વિવાહ કરે. સંતાન થયા પછી તમારે ભાર તેને સેંપી દીક્ષા
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર