Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સોમિલ કા મરણ
તે સમયે તે સેમલ બ્રાહ્મણ કૃષ્ણ વાસુદેવને સામે આવતા જોઈને ભયભીત થઈ ઉભે રહ્યો. અને ઉભે ઉભેજ આયુની સ્થિતિના ભેદ (પૂર્ણ હોવા)થી મૃત્યુને પ્રાપ્ત થયે. જેથી તેને મૃત શરીર ધડામથી પૃથ્વી ઉપર પડી ગયે. તે સમયે કૃષ્ણ વાસુદેવે સોમિલ બ્રાહ્મણને તે પ્રકારે મૃત્યુ પ્રાપ્ત થતે જે અને આ પ્રકારે કહ્યું–હે દેવાનુપ્રિયે ! આ તે અપ્રાર્થિતપ્રાર્થક- મૃત્યુને ચાહવાવાળે નિર્લજ્જ એમિલ બ્રાહ્મણ છે, જેણે મારા સોંદર નાનાભાઈ ગજસુકુમાલ અનગારને અકાલે મૃત્યુની શરણે પહોંચાડી દીધે, આવી રીતે કહીને તે મરેલા મિલ બ્રાહ્મણના પગને દેરડાથી બંધાવી તથા ચાંડાલે દ્વારા ઘસેડાવી નગરની બહાર ફેંકાવી દીધું. અને તેનાથી સ્પર્શાવેલી જમીનને પાણીથી ધવરાવી શુદ્ધ કરાવ્યા. પછી ત્યાંથી ચાલીને કૃષ્ણ વાસુદેવ પોતાના મહેલમાં પહોંચી ગયા.
હે જબૂ! મેક્ષપ્રાપ્ત શ્રમણ ભગવાન્ મહાવીરે અન્તકૃતદશા નામના આઠમા અંગના તૃતીય વર્ગમાંના આઠમાં અધ્યયનને આ પ્રકારે એ ભાવ કહ્યો છે. (સૂ૦ ૩૬)
ઇતિ આઠમું અધ્યયન સંપૂર્ણ.
સુમુખ કુમાર કા વર્ણન
હે ભદત! ભગવાને ઉકતરૂપે જે આઠમા અધ્યયનના ભાવનું નિરૂપણ કર્યું છે તે આપની પાસેથી મેં સાંભળ્યું. હે ભદન્ત ! હવે નવમા અધ્યયનના ભાવનું ભગવાને કયા પ્રકારે નિરૂપણ કર્યું છે? શ્રી જખ્ખ સ્વામીને આ પ્રશ્ન સાંભળી શ્રી સુધર્મા સ્વામી બોલ્યા :- હે જમ્મુ ! તે કાળ તે સમયે દ્વારકા નામે મનહર નગરી હતી. જેનું વર્ણન પહેલાં આવી ગયું છે. તે નગરીમાં ભગવાન અહંતુ અરિષ્ટનેમિ તીર્થંકર- પરંપરાથી વિચરતા પધાર્યા. દ્વારકા નગરીમાં બલદેવ નામના રાજા હતા. તેમની પત્નીનું નામ ધારિણી હતું, જે અત્યન્ત સુંદર તથા સુકમલ હતી, એક વખત સુકેમલ શય્યા ઉપર સુતેલી તે ધારિણું રાણીએ સ્વપ્નામાં સિંહને જે સ્વપ્ન આવતાં જ જાગૃત થઈ તે પિતાના પતિ પાસે જઈ સ્વનવૃત્તાન્ત સંભળાવ્યું. પછી તેને સ્વપ્નાનુસારે શ્રેષ્ઠ પુર્યોદયથી પુણ્યશાલી પુત્ર ઉત્પન્ન થયે. તે પુત્રને જન્મ, બાલ્યકાળ આદિનું વર્ણન ગૌતમ કુમારના જેવું જાણી લેવું. આ કુમાર શીલ, સ્વભાવ, સુંદરતા તથા આકાર
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
૩૨