Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 53
________________ ન લઈ શકું? હે કૃષ્ણ! તમારા હૃદયમાં ઉત્પન્ન થએલ જે વાત મેં કહી તે ઠીક છે? કૃષ્ણ કહ્યું–હે ભદન્ત ! આપે જે કહ્યું છે તે બધું ઠીક છે, કારણકે આપ સર્વજ્ઞ છે, આપથી કઈ વાત અજાણી નથી ( સૂત્ર ૩ ) | વાસુદેવકી પ્રવ્રજ્યા કે અભાવ કા કારણ ભગવાને કહ્યું- હે કૃષ્ણ, એ તે કદી ભૂતકાળમાં બન્યું નથી, વર્તમાનમાં બનતું નથી, તેમ કદી ભવિષ્યમાં બનનાર પણ નથી કે વાસુદેવ પિતાને હિરણ્ય આદિ સંપત્તિને છેડીને પ્રવ્રજિત થાય. કૃષ્ણ કહ્યું- હે ભદન્ત! એ પ્રકારે આપ કેમ કહે છે? ભગવાને કહ્યું- હે કૃષ્ણ! બધા વાસુદેવ પિતાના પૂર્વ જન્મમાં નિદાનકૃત (નિયાણું કરવાવાળા) થાય છે. તેથી હું એમ કહું છું કે કયારેય નથી બન્યું, હાલ નથી બનતું અને હવે પછી કયારેય બનશે નહિ કે વાસુદેવ પિતાની હિરણ્ય આદિ સંપત્તિને છેડી પ્રવ્રજિત થાય ( સૂ૦ ૪). કૃષ્ણ કા અપને વિષયમેં પ્રશ્ન આ સાંભળી કૃષ્ણ વાસુદેવ અત્ અરિષ્ટનેમિને આ પ્રકારે કહ્યું હે ભદન્ત! હું કાલમાસમાં કાલ કરીને કયાં જઈશ? ક્યાં ઉત્પન્ન થઈશ? ભગવાને કહ્યું- હે કૃષ્ણ! મદિરા, અગ્નિ, દ્વૈપાયન ત્રાષિને ક્રોધથી આ દ્વારકા નગરીનો નાશ થઈ જવાથી તથા પિતાના માતા પિતા અને સ્વજનથી વિહીન થઈ રામ બલદેવની સાથે દક્ષિણ સમુદ્ર કિનારે પાંડુરાજાના પુત્ર યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ એ પાંચે પાંડેની પાસે પાંડુમથુરા તરફ જાતા થકા વિશ્રામ લેવા માટે કેશામ્રવૃક્ષના વનમાં અત્યંત વિશાલ વટ વૃક્ષની નીચે પૃથ્વીશિલાપટ્ટ પર પીતાંબરથી તમારાં શરીરને ઢાંકીને સૂઈ જશો. તે સમયે જરાકુમાર દ્વારા મૃગની આશંકાએ ચલાવેલ તીક્ષણ બાણથી તમારો ડાબે પગ વિંધાઈ જશે. આમ બાણ લાગવાથી કાલમાસમાં કોલ કરી ત્રીજી પૃથ્વીમાં ઉત્પન્ન થશે. (સૂ) ૫) શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર 30

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87