Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 70
________________ ગાથાતિનું પણ ચિરત જાણવું. એ સાકેત ( અાધ્યા) નગરીના રહેવાશી હતા. તેમણે ખાર વર્ષ સુધી ચારિત્રપર્યાય પાળ્યે અને વિપુલગિરિ પર સિદ્ધ થઈ ગયા. (૭) હરિચંદન ગાથાપતિ પણ એજ રીતે અનગાર થઈ ગયા. તે પણ સાકેત નગરીના રહેવાશી હતા, તેમણે ખાર વર્ષ સુધી ચારિત્રપર્યાય પાળ્યે અને અંતમાં વિપુલગિરિ પર સિદ્ધ થઈ ગયા. ( ૮ ) આ પ્રકારે વારત્તક ગાથાપતિનું ચરિત્ર છે. તે રાજગૃહ નગરના રહેવાશી હતા. ખાર વર્ષ સુધી શ્રામણ્યપર્યાય પાળ્યે અને વિપુલગિરિ પર સિદ્ધ થઇ ગયા. (૯) સુદન ગાથાપતિ પણ ભગવાનની પાસે પ્રજિત થયા તે. વાણિજ ગામના રહેવાશી હતા, તેમણે પાંચ વર્ષ સુધી શ્રામણ્યપર્યાય પાળ્યા અને વિપુલગિરી પર સિદ્ધ થઈ ગયા. (૧૦) એજ પ્રકારે પૂર્ણ ભદ્ર ગાથાપતિનું પણ ચરિત્ર જાણવું જોઇએ. તે વાણિજ ગામના રહેવાશી હતા. તેમણે પાંચ વર્ષ સુધી શ્રામણ્યપર્યાય પાળ્યા અને વિપુલગિરિ પર સિદ્ધ થઇ ગયા. (૧૧) સુમનભદ્ર ગાથાપતિનું ચરિત્ર પણ એજ પ્રકારનું સમજવું જોઇએ. તે શ્રાવસ્તી નગરીના રહેવાશી હતા, તેમણે બહુ વર્ષોં સુધી શ્રામણ્યપર્યાય પાળ્યો અને વિપુલગિરિ પર સિદ્ધ થઇ ગયા. ( ૧૨ ) એજ પ્રકારે સુપ્રતિષ્ઠ ગાથાપતિનું ચરિત્ર જાણવું. તે શ્રાવસ્તી નગરીના રહેવાશી હતા. તેમણે સત્તાવીશ વર્ષ સુધી ચારિત્રપર્યાય પાળ્યા. અંતમાં વિપુલગિરિ પર સિદ્ધ થઇ ગયા (૧૩) તેવીજ રીતે મેઘ ગાથાપતિનું પણ ચિરત્ર જાણવું. તે રાજગૃહ નગરના રહેવાશી હતા. ઘણાં વર્ષાં સુધી તેમણે શ્રામણ્યપર્યાય પાન્યા અને વિપુલગિરિ પર સિદ્ધ થઈ ગયા. (૧૪) (સ્૦ ૨૧) ચૌદમું અધ્યયન સમાપ્ત, શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૫૫

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87