Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 82
________________ મહાકૃષ્ણાદેવી કા ચરિત્ર તેજ પ્રમાણે રાજા શ્રેણિકની રાણી અને કણિકની નાની માતા મહાકૃષ્ણ રાણી પણ ભગવાન મહાવીરની પાસે પ્રત્રજિત થઈ પછી તે મહાકૃષ્ણા આર્ય આર્યચંદનબાળાની આજ્ઞા લઈને “લઘુસવંતભદ્ર’ તપ કરવા લાગી. તે આ પ્રકારે છે. સર્વથી પહેલાં તેમણે ઉપવાસ કર્યો. પારણું કરીને છઠ્ઠ કર્યું, પારણું કરીને અ8મ કર્યું, એવી રીતે ચાર પાંચ, અઠ્ઠમ, ચાર, પાંચ, ઉપવાસ, છઠ્ઠ, પાંચ, છ, પાંચ, છઠ્ઠ, અટ્ટમ, ચાર, છઠ્ઠ, અઠ્ઠમ, ચાર, પાંચ, ઉપવાસ, ચાર, પાંચ, ઉપવાસ, છઠ્ઠ અને અઠ્ઠમ કર્યા. આ પ્રમાણે તે મહાકૃષ્ણ આર્યાએ “લઘુસવતેભદ્ર” નામના તપની એક પરિપાટી પૂરી કરી, જેમાં પિત્તર દિવસ તપસ્યાના અને પચીશ દિવસ પારણના થાય છે. આ પરિપાટીને સમાપ્ત કરીને દ્વિતીય પરિપાટી પ્રારંભ કરી, પણ એ સમયે પારણામાં વિષયને ત્યાગ કરી દીધે, એવી રીતે ત્રીજી પરિપાટી કરી. આના પારણામાં વિનયને લેપમાત્ર પણ છેડી દીધું. ત્યારપછી ચોથી પરિપાટી કરી. આમાં પારણાને દિવસે આયંબિલ કર્યા. આ પ્રકારે તેમણે ‘લધુસર્વતોભદ્ર'ની ચારેય પરિપાટી કરી. આ તપમાં એક વર્ષ એક માસ દશ દિવસ લાગે છે. આ પ્રકારે તપની આરાધના કરીને અંતમાં કમ ખપાવીને સિદ્ધ થઈ ગઈ. (સૂ) ૧૨) [ મહાકૃષ્ણા-નામનું સાતમું અધ્યયન સમાપ્ત] વીરકૃષ્ણાદેવી કા ચરિત્ર હવે સાતમું અધ્યયન કહે છે. જબૂ સ્વામીએ સુધર્મા સ્વામીને પૂછ્યું- હે ભદન્ત! ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત અન્તકૃતના છઠ્ઠા અધ્યયનને ભાવ આપના મુખેથી સાંભળે. હવે પછી સાતમા અધ્યયનમાં ભગવાને કયા ભાવનું નિરૂપણ કર્યું છે? સુધર્મા સ્વામીએ કહ્યું–હે જબૂ! સાતમા અધ્યયનમાં વરકૃષ્ણ દેવીનું ચરિત છે. એ શ્રેણિક રાજાની રાણી તથા કૃણિક રાજાની નાની માતા હતી. તેમણે પણ ભગવાન મહાવીરની પાસે ધર્મકથા સાંભળી પ્રવજ્યા લીધી. પ્રવજ્યા લીધા પછી તે વીરકૃષ્ણ શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87