Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આર્ય આર્ય ચંદનબાળા આર્યાની પાસે આવી અને હાથ જોડીને બેલી-હે આયે! આપની આજ્ઞા મેળવીને ‘મહાસર્વતોભદ્ર” તપ કરવા ચાહું છું. પછી ચંદનબાળાની આજ્ઞા મેળવી તેમણે “મહાસર્વતોભદ્ર” તપસ્યા પ્રારંભ કરી. સૌથી પહેલાં ઉપવાસ કર્યો, પારણું કરીને છઠ્ઠ કર્યું, પારણું કરીને અઠ્ઠમ કર્યું, એમ ચાર, પાંચ, છ, સાત, કર્યા આ પ્રથમ લતા થઈ, બીજી લતામાં તેમણે ચાર, પાંચ, છ, સાત, ઉપવાસ, છ અને અમ કર્યા. આ બીજી લતા થઈ, ત્રીજી લતામાં સાત કર્યા. સાતનું પારણું કરી ઉપવાસ કર્યો, પછી છઠ્ઠ, અટ્ટમ, ચાર, પાંચ, છ, ઉપવાસ કર્યા. આ ત્રીજી લતા થઈ. જેથી લતામાં અટ્ટમ, ચાર, પાંચ, છ, સાત કર્યા, સાતને પારણે ઉપવાસ, ઉપવાસને પારખે છદ્ર કરી પાર કર્યો. આ ચેથી લતા થઈ. પાંચમી લતામાં છ કર્યા. સાત કર્યા, સાતના પારણે ઉપવાસ કર્યો, ઉપવાસના પારણે છઠ્ઠ કર્યો, એવી રીતે અમ, ચેલા અને પાલા કરી પારણા કર્યા. આ પાંચમી લતા થઈ. ત્યારપછી છઠ્ઠી લતામાં છઠ્ઠ કર્યો, છઠ્ઠના પારણે અઠ્ઠમ, અઠ્ઠમના પારણે ચૌલા, ચૌલાના પારણે પાંચ, એવી રીતે છ કર્યા, સાત કર્યા અને સાતના પારણે ઉપવાસ કરીને પારણું કર્યા. આ છઠ્ઠી લતા થઈ. ફરી સાતમી લતામાં પાંચ કર્યા, પાંચને પારણે છ કર્યા, છનાં પારણે સાત, સાતનાં પારણે ઉપવાસ, ઉપવાસને પારણે છે, તેમજ અટ્ટમ, ચૌલા કરીને પારણા કર્યા. આ સાતમી લતા પૂરી થઈ. આવી રીતે સાત લતાની પરિપાટી થઈ આમાં આઠ માસ પાંચ દિવસ લાગે છે. આ રીતે તેમણે ચારેય પરિપાટી કરી, જેમાં બે વર્ષ આઠ માસ વિશ દિવસ લાગ્યા. તે પછી તે વીરકૃષ્ણ આર્યા કાલી આર્યાની પિઠે સર્વ કર્મોને ખપાવી પરમપદ મેક્ષને પ્રાપ્ત થઈ (સૂ૦ ૧૩)
[ વીરકૃષ્ણા નામનું સાતમું અધ્યયન સમાપ્ત. }
રામકૃષ્ણાદેવી કા ચરિત્ર
હવે આઠમું અધ્યયન કહે છે-જંબુસ્વામીએ સુધર્માસ્વામીને પૂછયું - હે આર્ય! અન્નકૃતના આઠમા વર્ગના સાતમા અધ્યયનને ભાવ આપના મુખેથી સાંભળે, હવે હું આઠમાં અધ્યયનને ભાવ સાંભળવા ચાહું છું.
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર