Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભગવાનનાં દર્શન માટે નીકળી, અને ભગવાનની પાસે જઈને વિધિસહિત વંદનનમસ્કાર કર્યા. ત્યાર પછી ભગવાન અહંતુ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવ તથા રાણી પદ્માવતીને ઉદેશીને ધર્મકથા કહી. ધર્મકથા સાંભળી પરિષદ્ પિતપતાને ઘેર પાછી ગઈ. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે અહંત અરિષ્ટનેમિને વંદન નમસ્કાર કરી આ પ્રકારે પૂછયું - હે ભદન્ત ! બાર જન લાંબી આ પ્રત્યક્ષ દેવકના જેવી દ્વારકા નગરીને વિનાશ કયા કારણથી થશે?
ભગવાન અહંતુ અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને આ પ્રકારે કહ્યું- હે કૃષ્ણ! બાર જન લાંબી, નવ જન પહોળી તથા પ્રત્યક્ષ દેવલોકના સમાન આ દ્વારકાનગરીનો વિનાશ મદિરા, અગ્નિ અને દ્વૈપાયન ઋષિના ક્રોધના કારણે થશે. (સૂ૦ ૨)
કૃષ્ણકા આધ્યાત્મિક વિચાર
ભગવાન અહંત અરિષ્ટનેમિ સમી દ્વારકા નગરીને વિનાશ વૃત્તાન્ત આવી રીતે સાંભળ્યા પછી શ્રી કૃષ્ણ વાસુદેવના હૃદયમાં એ આધ્યાત્મિક વિચાર ઉત્પન્ન થયે કે તે જાલિ, માલિ, ઉપયાલિ, પુરુષસેન, વારિણ, પ્રદ્યુમ્ન, સાંબ, અનિરુદ્ધ, દઢનેમિ તથા સત્યનેમિને ધન્ય છે કે જેઓએ પિતાની સંપત્તિ, સ્વજન તથા યાચકને આપીને અહંત અરિષ્ટનેમિ પાસે મુંડિત થઈ પ્રવજિત થઈ ગયા હું તે અધન્ય છું, અકૃત પુણ્ય છું, કેમકે રાજ્યમાં, અંત:પુરમાં તથા મનુષ્યસબંધી કામગમાં જ ફસાએલે પડી રહ્યો છું. શું હું ભગવાન અહંત અરિષ્ટનેમિ પાસે દીક્ષા ન લઈ શકું?
તે સમયે પિતાના દિવ્યજ્ઞાનથી કૃષ્ણ વાસુદેવના હૃદયમાં ઉત્પન્ન થયેલા વિચારોને જાણી, આર્તધ્યાન કરતા તે કૃષ્ણ વાસુદેવને, “હે કૃષ્ણ” એ શબ્દથી સંબોધન કરી અહત અરિષ્ટનેમિએ આ પ્રકારે કહ્યું -
હે કૃષ્ણ! તમારા મનમાં આવા પ્રકારની ભાવના થઈ રહી છે કે તે જાલિ આદિ કુમારને ધન્ય છે કે જેઓ પિતાનાં ધન-વૈભવને યાચક તથા સંબંધીઓમાં વહેંચી આપી અનગાર થઈ ગયા. હું તો અધન્ય છું, અકૃત પુણ્ય છું, જેથી ઐહિક ભેગવિલાસમાંજ ફસાએલે પડ રહ્યો છું. શું હું અહંત, અરિષ્ટનેમિ પાસે દીક્ષા
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
૩૭