Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જાલિકુમારાદિ કા વર્ણન
તે દ્વારાવતી નગરીમાં વસુદેવ મહારાજા રાજ્ય કરતા હતા. તેમની રાણીનું નામ ધારિણી હતું, જે અત્યંત સુકુમાર અને સુશીલા હતી. એક સમય સુકમલ શા ઉપર નિદ્રાવસ્થામાં તે ધારિણી દેવીએ સ્વપ્નમાં સિંહ જે. સ્વનવૃત્તાન્ત તેણે પિતાના પતિ વસુદેવને કહી સંભળાવ્યું. ત્યાર પછી ગૌતમના જે એક તેજસ્વી બાળકને મહારાણીએ જન્મ આપે, જેનું નામ જાલિકુમાર રાખવામાં આવ્યું.
જ્યારે તે કુમાર યુવાવસ્થાને પ્રાપ્ત થયા ત્યારે તેમનાં લગ્ન પચાસ કન્યાઓની સાથે થયાં અને તેઓને સસરા પક્ષ તરફથી પચાસ-પચાસ પ્રકારના દહેજ મળ્યા. ત્યાર પછી એક દિવસ ભગવાન અહંત અરિષ્ટનેમિ વિહાર કરતા થકા જ્યારે દ્વારકા પધાર્યા ત્યારે તે કુમાર દર્શન કરવા માટે ગયા અને ત્યાં ભગવાનને ઉપદેશ સાંભલી તેઓને વૈરાગ્ય ઉત્પન્ન થયે જેથી તેઓ માતા-પિતાની આજ્ઞા પ્રાપ્ત કરી પ્રવૃજિત થઈ ગયા. દીક્ષા લીધા પછી તેઓએ બાર અંગોનું અધ્યયન કર્યું અને સેળ વરસ સુધી દીક્ષાપર્યાયનું પાલન કર્યું. અંતમાં ગૌતમ અનગારની પેઠે તેઓએ પણ માસિક સન્યારો ર્યો તથા સર્વ કર્મથી મુક્ત થઈ શત્રુંજય પર્વત પર સિદ્ધ થયા (૧). આ પ્રકારે માલિ, ઉપયાલિ, પુરુષસેન અને વારિણનું પણ ચરિત્ર જાણી લેવું જોઈએ. તે બધા વસુદેવના પુત્ર તથા ધારિણીના અંગજાત હતા. એ પ્રકારે પ્રધુમ્નનું પણ ચરિત્ર જાણવું. પરંતુ તેમની માતાનું નામ રુકિમણું અને પિતાનું નામ કૃષ્ણ હતું (૬). એજ રીતે સામ્બનું પણ ચરિત્ર જાણી લેવું જોઈએ. તેમના પિતા કૃષ્ણ અને માતા જાંબવતી હતી (૭). એજ પ્રકારે અનિરુદ્ધનું પણ વૃત્તાન્ત જાણવું. વિશેષ જીવનવૃત્તાન્ત એ છે કે એમના પિતાનું નામ પ્રદ્યુમ્ન અને માતાનું નામ વૈદભી હતું (૮). સત્યનેમિનું પણ વર્ણન એવું જ જાણવું, અન્તર માત્ર એટલું જ છે કે એમના પિતાનું નામ સમુદ્રવિજય અને માતાનું નામ શિવાદેવી હતું (૯). એજ રીતે દઢનેમિનું વૃત્તાન્ત જાણવું. તેમના પિતાનું નામ સમુદ્રવિજય અને માતાનું નામ શિવાદેવી હતું (૧૦). બધાં અધ્યયનેને પાઠ (વર્ણન) સમાન રીતે જાણી જોઈએ. | હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ ચતુર્થ વર્ગના ભાવેને આ પ્રકારે કહ્યા છે (સૂ૦ ૨)
ઇતિ ચતુર્થ વર્ગ સંપૂર્ણ.
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
૩૫