Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૧) પ્રથમ ઉદ્દેશમાં ભાવસુખ સંયમિઓના દોષ અને જાગરૂક સંયમિએના ગુણ પ્રકટ કરેલ છે.
(૨) બીજા ઉદ્દેશમાં ભાવનિદ્રાવાળા સંયમિઓને અનેક દુઃખોને અનુભવ કરે પડે છે. એ વિષય વણિત કરેલ છે.
(૩) ત્રીજા ઉદેશમાં સંયમાચરણ વિના કેવળ દુઃખોના સહન માત્રથી કઈ સાધુ કહેવાતા નથી. એ વિષય પ્રતિપાદિત કરેલ છે.
(૪) ચોથા ઉદ્દેશમાં છર્દિત–વાન્ત અન્ન સમાન કષાય ત્યાગવાયેગ્ય છે. પાપકર્મ પરિહરણીય છે. તથા પદાર્થોના સ્વરૂપને જાણવાવાળા સંયમી માટે સંયમ આરાધનીય છે. ઈત્યાદિ સમસ્ત વિષય પ્રગટ કરેલ છે આ આચારાંગસૂત્રના શીતોષ્ણીય નામના ત્રીજા અધ્યયનને
ગુજરાતી-ભાષાનુવાદ સમાપ્ત ૩
તૃતીય અધ્યયનકે સાથ ચતુર્થ અધ્યયનકા સમ્બન્ધપ્રતિપાદના /
પ્રસશતઃ સમ્યકત્ત્વના નિરૂપણ.
આચારાંગસૂત્રનું સમત્વનામનું ચોથું અધ્યયન. ઉપાધિરહિત સંયમનું આરાધન મુનિ પણાનું તથા મોક્ષનું કારણ થાય છે, આ વિષય પહેલાં ત્રણ અધ્યયનમાં સ્પષ્ટ રીતે પ્રકાશિત કરવામાં આવેલ છે, પણ આ સંયમારાધન સમ્યક્ત્વ વિના બની શકતું નથી. માટે સમ્યક્ત્વ નામનું ચોથું અધ્યયન કહેવામાં આવે છે. જેવી રીતે ચાર મકાનના ચેકમાં રાખેલ એક દીપક ચારે મકાનને પ્રકાશિત કરે છે તેવી રીતે બધા અધ્યયનના મધ્યમાં સ્થિત આ અધ્યયન બધા અધ્યયનના આચારનું પ્રકાશક છે. આ માટે પ્રકરણ વશ તેનું જ પ્રતિપાદન કરવામાં આવે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૨૫૨