Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થશે. એવી સ્થિતિમાં જ્યારે પિતાના અબાધાકાળને છોડીને તેને ઉદય થશે ત્યારે તે પણ તીવ્રતમરૂપથી જ પિતાનું ફળ આપશે, માટે જીવ કાં તો આ ભવમાં જ તજજન્ય દુઃખાદિકને પૂર્ણરૂપે ભેગવશે, અને જે અવશિષ્ટ બચશે તે તેનું ફળ તેણે નરક નિગોદાદિમાં જઈને ભોગવવું પડશે. આ જ વાત આ સૂત્રમાં પ્રગટ કરવામાં આવી છે. “રવાર' શબ્દ જે સૂત્રમાં છે, તે એમ પ્રગટ કરે છે કે ક્રોધ-કષાયને વશ થઈ પ્રાણાતિપાતાદિકમાં પ્રવૃત્તિ કરવાવાળા જીવ તજન્ય દુઃખને આ ભવમાં અને પરભવમાં (નરકનિગોદાદિકોમાં) પણ ભેગવે છે.
કેધ–કષાયથી જે વખતે આત્મા સંતપ્ત થઈ જાય છે, તે વખતે તે આત્માનું મન સંતપ્ત થાય છે. મનનું સંતપ્ત થવું એ જ ભાવહિંસા છે.
મનના સંતાપથી અશુભ કર્મોના આસ્રવ થાય છે. અંતમાં સૂત્રકાર ઉપસંહાર કરતાં કહે છે કે-જ્યારે પ્રાધાદિક કષાય કરવાથી જીવેને દુખ ભેગવવું પડે છે અને સંસારમાં કોઈ પણ પ્રાણી દુઃખને નથી ચાહતે, બધા સુખના જ અભિલાષી છે, ત્યારે ભવ્ય પ્રાણીનું કર્તવ્ય છે કે આ દુઃખના અભાવરૂપ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરે. સંસારમાં થોડું પણ સુખ નથી, જીવે જેને સુખ માન્યું છે તે કાલ્પનિક છે. આકુળતાને જ્યાં સુધી સર્વથા અંત નથી થતા ત્યાં સુખ પ્રાપ્ત થતું નથી, સાંસારિક જીવનમાં એક પણ ક્ષણ આકુળતા વગર નથી. આ આકુળતારૂપ પરિણતિને અભાવ તે મોક્ષમાર્ગ માં જ છે, માટે આત્મકલ્યાણ ઈચ્છવાવાળા પ્રત્યેક જીવને તે માર્ગમાં જ લાગવાની પરમ આવશ્યકતા છે. જ્યાં સુધી જીવ તે માર્ગમાં નહિ જશે, ત્યાં સુધી દુઃખ અને આકુળતાને અંત થઈ શકતું નથી. મેક્ષમાર્ગમાં લાગેલા પ્રાણી જરૂર જ દુઃખ આવવાના ભયથી ત્રાસેલા આ પ્રત્યક્ષમાં દેખાતા ષડજીવનિકાયને પ્રશમભાવથી સમન્વિત થઈ દયાદષ્ટિથી જેશે, કેઈને પણ સ્વપ્નમાં પણ સતાવવાની ભાવના રાખશે નહિ. તેની ભાવના સદા એવી જ રહેવાની કે ક્યારે આ પ્રાણું દુઃખથી છૂટે છે સૂ૦ ૮
નવમ સૂત્રકા અવતરણ ઔર નવમ સુત્રા /. જો ભગવાન તીર્થકરકે ઉપદેશમેં શ્રદ્ધાયુક્ત હૈ, ઔર ઉનકે ઉપદેશ કો ધારણ કરને કે કારણ ક્રોધાદિકષાયરૂપ અ9િકે પ્રશાન્ત હો જાનેસે શીતીભૂત હો ગયે હૈ, અતએ જો પાપકર્મોક વિષયમેં નિદાનરહિત હૈ, યે હી મોક્ષસુખકે
| ભાગી કહે ગયે હૈ
જે કેધાદિ કષાયથી રહિત છે તે કેવા છે?તે કહે છે-ને નિવવુડ ” ઈત્યાદિ.
ભગવાન તીર્થકરના ઉપદેશમાં જેને શ્રદ્ધા છે અર્થા–પ્રભુના દિવ્ય ઉપદેશની ધારણાથી જેને ક્રોધાદિકકષાયરૂપ અગ્નિ શાંત થઈ ગયેલ છે, અને તેથી
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૩૨૩