Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 10
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates તેમાં, પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે, ત્યારે નારકપણું, તિર્યચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું-એ પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને “તે બધુંય જીવદ્રવ્ય છે” એમ ભાસે છે. અને જ્યારે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડલા પર્યાયાર્થિક ચક્ષુ વડ અવલોકવામાં આવે છે, ત્યારે જીવદ્રવ્યમાં રહેલા નારકપણું, તિર્યચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું-એ પર્યાયોસ્વરૂપ અનેક વિશેષોને અવલોકનારા અને સામાન્યને નહિ અવલોકનારા એવા એ જીવોને (તે જીવદ્રવ્ય) અન્ય-અન્ય ભાસે છે, કારણ કે દ્રવ્ય તે તે વિશેષોના કાળે તન્મય લેવાને લીધે તે તે વિશેષોથી અનન્ય છે-છાણાં, તૃણ, પર્ણ અને કાષ્ઠમય અગ્રિની માફક (અર્થાત્ જેમ તૃણ, કાષ્ઠ વગેરેનો અગ્નિ તે તે કાળે તૃણમય, કાષ્ઠમય વગેરે હોવાને લીધે તૃણ, કાષ્ઠ વગેરેથી અનન્ય છે, તેમ દ્રવ્ય તે તે પર્યાયોરૂપ વિશેષોના સમયે તે–મય હોવાને લીધે તેમનાથી અનન્ય છે-જુદું નથી). અને જ્યારે તે બન્ને ચક્ષુઓ-દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક-તુલ્યકાળે (એકીસાથે) ખુલ્લાં કરીને તે દ્વારા અને આ દ્વારા (-દ્રવ્યાર્થિક ચક્ષુ દ્વારા તેમ જ પર્યાયાર્થિક ચક્ષુ દ્વારા) અવલોકવામાં આવે છે, ત્યારે નારત્વતિર્યંચત્વ-મનુષ્યત્વ-દેવત્વ-સિદ્ધત્વ-પર્યાયોમાં રહેલો જીવસામાન્ય અને જીવસામાન્યમાં રહેલા નારકત્વ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78