Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 22
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧] છે તો પર્યાય, પણ તે ઉઘડેલું જ્ઞાન છે. અહો! શું ગંભીર ટીકા છે! ભરતક્ષેત્રમાં આવી વાત બીજે કયાં છે? અહો! આ તો ત્રણલોકના નાથની દિવ્યધ્વનિનું અમૃત સંતોએ રેલાવ્યું છે. જગતનાં ભાગ્ય છે કે આવી વાણી રહી ગઈ. અહા ! આવી વાણીનો યોગ થયો અને તને નવરાશ નથી ! ભગવાન! તારે કયાં જવું છે? કયાં રહેવું છે? પહેલી એ વાત કીધી કે સર્વ વસ્તુ સામાન્યવિશેષાત્મક છે. હવે કહે છે–તારે તારી વસ્તુને અમૃતના નાથને જોવો હોય તો પર્યાયાર્થિક આંખ સર્વથા બંધ કરીને ઉઘાડલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો. જુઓ, આમાં પરની વાત નથી લીધી કે પર્યાયાર્થિક આંખ બંધ કરીને પર છે. અહીં તો સ્વરૂપને અમૃતના નાથને જોવાની વાત છે. અહો ! સંતોએ અમૃત રેયાં છે. પણ અરે ! જગતને...(કયાં દરકાર છે?) કહે છે-ભગવાન! તારામાં બે પ્રકાર-(૧) સામાન્ય અને (૨) વિશેષ. અહીં વાત તો સર્વદ્રવ્યની કરવી છે પણ ઉતારે છે જીવમાં. જીવમાં ઉતારીને કહે છે કે સર્વદ્રવ્યોમાં એ રીતે સમજી લેવું. આમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78