Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 46
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૫] કરીને એકલા ઉઘાડલા પર્યાયાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે, ત્યારે” –અર્થાત્ પર્યાયથી જ્યારે જીવની દશાઓ જોવામાં આવે છે ત્યારે... અહાહા...! લ્યો, એને જોવાનું તો એમાં ને એમાંસામાન્ય અને વિશેષમાં છે, બહારમાં કયાંય નહિ. શું કહ્યું? ભગવાન! તારા દ્રવ્ય ને પર્યાય સિવાય, શરીર, કર્મ, કષાય ઇત્યાદિ બહારનું કરવું એ તો દૂર રહો, - એ તો છે નહિ, પણ બહારમાં જોવાનું ય નથી. ભગવાન! તું જે જુએ છે એ તારી પર્યાય છે. ઝીણી વાત ભાઈ ! જેમ આ (દારિક) શરીર છે, તેમ ચૈતન્યભગવાન-પરમપારિણામિકસ્વભાવભાવ ચૈતન્યશરીર-ચૈતન્યવિગ્રહુ છે. “વિગ્રહ’ શબ્દ આવે છે ને શાસ્ત્રમાં? (તેમ) પુણ્ય-પાપના ભાવકે આ ગતિના ઉદયભાવ છે તે પણ એક વિગ્રહ છે. શુદ્ધ ચૈતન્યશરીરી ભગવાન આત્માની અપેક્ષાએ તે પર વિગ્રહ છે, પર શરીર જ છે. ત્રણ પ્રકારે શરીર છે(૧) ચૈતન્ય શરીર (૨) કષાય શરીર (૩) જડ શરીર. ઔદારિક, તેજસ, કાર્માણ, આહારક અને વૈક્રિયક શરીર બધાં જડ શરીર છે. આત્માની પર્યાયમાં થતા વિકારના પરિણામ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78