Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 44
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ચક્ષુને સર્વથા બંધ કર. પહેલાં કહ્યું કે-પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે છે. ત્યાં દ્રવ્યને જોવાની વાત હતી અને દ્રવ્ય પ્રગટ ભાસ્યું તો હવે પર્યાનું જ્ઞાન કરાવવું છે એટલે કહે છે-“દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા પર્યાયાર્થિક ચક્ષુ વડે.” જુઓ ! પર્યાય પણ એની છે, એનામાં છે ને? જીવદ્રવ્ય તેમાં (પર્યાયમાં) રહેલું છે, વર્તી રહ્યું છે. માટે અહીં પર્યાયનું જ્ઞાન કરાવવું છે. પરને જાણવાની તો અહીં વાત નથી કારણ કે પરને અને તેને (સ્વદ્રવ્યને) કાંઈ સંબંધ નથી. જેને જાણતાં પર જણાય છે એ પર્યાય એની એટલે સ્વદ્રવ્યની છે, તે પર્યાયને અને પરને કાંઈ સંબંધ નથી એમ અહીં કહેવું છે. ભગવાનને કેવળજ્ઞાન થયું તે વજવૃષભનારાચ સંહનન હતું માટે થયું છે એમ નથી. અરે ! ચાર જ્ઞાન અને મોક્ષનો માર્ગ હતો માટે થયું છે એમ પણ (પરમાર્થે) નથી. પરનું જ્ઞાન કરાવવાની તો અહીં વાત નથી. તો કહે છે-ઉઘાડલા પર્યાયાર્થિક ચક્ષુ વડે પર્યાયને જો. અહીં જાણવાની પર્યાય તો ઉઘડેલી છે. જેમ દ્રવ્યને જોનારું જ્ઞાન છે તેમ પર્યાયને જોનારું જ્ઞાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78