Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 63
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૬૨] સિદ્ધત્વ પર્યાયોમાં રહેલો જીવસામાન્ય અને જીવસામાન્યમાં રહેલા નારકત્વ-તિર્યચત્વ-મનુષ્યત્વદેવત્વ-સિદ્ધત્વ પર્યાયો–સ્વરૂપ વિશેષો તુલ્યકાળે જ દેખાય છે.” પહેલાં દ્રવ્યને મુખ્ય અને પર્યાયને ગૌણ કરીને સામાન્યને જોવાનું કહ્યું, અને પર્યાયને જોવાના કાળે સામાન્યદ્રવ્યને જોવાનું મુખ્યપણે છોડી દીધું, હવે તે બેયને સમકાળે જવા માટે આ પ્રમાણજ્ઞાન કહ્યું; પણ પરને જોવાની વાત ન કરી કેમકે એનો અહીં પ્રશ્ન જ નથી, પરને જાણે છે એ પર્યાય પોતાની છે, પરની નહિ, પરને લઈને નહિ. પરને જાણે છે માટે એ પરને લઈને એ પર્યાય થઈ છે એમ નથી. ભાઈ ! આ તો આત્માના એક દ્રવ્ય અને પર્યાય સિવાય અનંત બીજા દ્રવ્ય અને પર્યાયના (મારાપણાના અને કર્તાપણાના ) ગર્વને ઉઠાવી દેવાની વાત છે. જો કયાંય પણ બીજે ગર્વ રહ્યો તો... (હા ! મરી જ ગયો સમજો). અહાહા...! ભગવાન! તું ત્રિકાળી સામાન્યદ્રવ્ય છો અને તારી વિશેષ પાંચ પર્યાયો છે, અને તે તે કાળે તું તેમાં તન્મય છો. પાંચેયમાં એકી સાથે નહિ, પણ તે તે ગતિના કાળે એકમાં જ. આ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78