Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 65
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૬૪] શેઢે અને સીમાડે કયાંય તેમનો મેળ નથી. અહાહા...! જેની સાથે પચાસ-પચાસ કે સો-સો ગાળ્યાં હોય તે શરીર સાથે એક સમયમાત્ર પણ આત્મા તન્મય નથી. એ તો અન્ય છે તે અન્ય જ છે. જ્યારે આ પોતાની પર્યાય પર્યાયથી જોતાં અન્ય-અન્ય હોવા છતાં દ્રવ્ય જ તેમાં વર્તતું હોવાથી અનન્ય છે. હવે કહે છે-“ત્યાં, એક ચક્ષુ વડે અવલોકન તે એકદેશ અવલોકન છે અને બે ચક્ષુઓ વડે અવલોકન તે સર્વ અવલોકન (–સંપૂર્ણ અવલોકન) છે. જુઓ, એક ચક્ષુ વડે જતાં એકદેશનું જ્ઞાન-એક ભાગનું જ્ઞાન-થાય છે અને બેય ચક્ષુથી જોતાં સંપૂર્ણ જ્ઞાન થાય છે. આ જાણવાની અપેક્ષાએ વાત છે, આદરણીય શું છે એ વાત અહીં નથી, કેમકે આદરણીય તો ક્ષાયિકભાવ પણ નથી. વાહએકવાર એમ કહે કે ક્ષાયિકભાવ પદ્રવ્ય, પરભાવ છે અને હેય છે (નિયમસાર ગાથા ૫૦) અને વળી અહીં ગતિના ઉદયભાવમાં દ્રવ્ય તન્મય છે એમ કહે–એ તે કેવી વાત ! સમાધાન - ભાઈ ત્યાં નિયમસારમાં ઉપાદેયરૂપ જે શુદ્ધ અંત:તત્ત્વ એક શુદ્ધ જ્ઞાયકભાવ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78