Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 74
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૭૩ ] આવ્યું ને કે મરીચિની કયાં મિથ્યાદર્શનની અવસ્થા અને ભગવાન મહાવીરની કાં તીર્થંકર કેવળીની અવસ્થા ? પૂર્વ-પશ્ચિમનો ફેર. અહાહા...! કયાં નિગોદમાં એક અક્ષરના અનંતમા ભાગની જ્ઞાનની પર્યાય અને કયાં એ જ જીવ ત્યાંથી નીકળીને મનુષ્ય થઈને આઠ વર્ષે કેવળ પામે તે કેવળીની પર્યાય? ત્યાં જીવસામાન્યથી તો એનો એ જ જીવ છે પણ વિશેષની અપેક્ષા એ અન્યપણું ભાસે છે, ફેર ભાસે છે. નિગોદમાં અક્ષરના અનંતમા ભાગનો ઉઘાડ છે. ત્યાંથી નીકળીને કોઈ જીવ મનુષ્ય પણ થાય, કારણ કે ત્યાં પણ શુભભાવ છે અને શુભભાવના કાળે તે જીવ તેમાં તન્મય છે, તથા તેના ફળપણે જીવને મનુષ્યપણું થાય છે. હવે એ મનુષ્યપણાની વિશેષ દશામાં આઠ વર્ષે જ્યાં અંદર પૂર્ણ સામર્થ્યના સ્વભાવથી ભરેલા ભગવાનમાં અંતર્મુખ દષ્ટિ કરી એમાં જ ઠરે છે ત્યાં કેવળ થાય છે. લ્યો, હવે નિગોદમાં કયાં અક્ષરના અનંતમા ભાગનું જ્ઞાન અને મનુષ્યપણામાં કયાં કેવળજ્ઞાન? આવો એકદમ મોટો ફેર ! અહો ! વીતરાગનો માર્ગ કોઈ અચિંત્ય અલૌકિક છે! લોકોએ તેને બહારથી ક્રિયાકાંડમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78