Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 56
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૫૫] તે–મય હોવાને લીધે તેમનાથી અનન્ય છે–જાદું નથી. કાષ્ઠની અગ્નિ કાષ્ઠમય છે કેમકે પોતે કાષ્ઠપણે પરિણમી છે ને? તેમ જીવ તે તે પર્યાયથી–વિશેષથી અનન્ય છે કેમકે પોતે તે તે પર્યાયપણે–ગતિ–પણે પરિણમે છે. અહાહા..પોતાની ત્રિકાળી વસ્તુને જેણે જાણી છે તે, પર્યાયને જાણે છે તો તે તે કાળે તેમાં પોતે તન્મય છે એમ જાણે છે. અહાહા...! એ પર્યાય કોઈ પરદ્રવ્યમાં થઈ છે એમ નથી. ત્યારે શ્રી સમયસારજીમાં તો એમ આવ્યું છે કે-જીવના ચૌદ ભેદો નામકર્મના કરણને કારણે થયા છે? નામકર્મ કરણ છે અને તે ભેદો તેના કારણે થયા છે–એમ ત્યાં કહ્યું છે. (ગાથા ૬૫-૬૬) સમાધાનઃ- ભાઈ ! ત્યાં (સમયસારમાં) અખંડ એક શુદ્ધ ચૈતન્યમય વસ્તુ ભગવાન શાયકનું લક્ષ કરાવવું છે. શુદ્ધ નિર્મળાનંદસ્વરૂપ પ્રભુ આત્માનું સ્વરૂપ બતાવવું છે તો તેઓ (ચૌદ ભેદો) આત્મામાં નથી એમ કહ્યું. જ્યારે અહીં તેની પર્યાયના અંશમાં જેટલું નારકપણું, તિર્યચપણું, મનુષ્યપણું આદિ ઊભું છે તેનું જ્ઞાન કરાવવું છે તો તેમાં તે (જીવદ્રવ્ય) તે તે કાળે તન્મય છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78