Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 55
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૫૪] વર્તમાન પૂરતા હોં. પોતે સમકિતી છે ને ? તો વસ્તુષ્ટિએ ગતિ પોતાના સ્વરૂપમાં છે એમ માનતા નથી પણ સાથે જે પર્યાયને જોવાનું જ્ઞાન છે તે આ ( નરકની ) પર્યાય મારી છે, હું વર્તમાનમાં તેમાં તન્મય છું–એમ જાણે છે. તેઓ નરકમાંથી નીકળી ભવિષ્યમાં તીર્થંકર થવાના છે. ત્યાંથી નીકળી ત્રણજ્ઞાન અને ક્ષાયિક સમકિત સહિત માતાના પેટમાં આવશે. તેઓ જાણે છે કે આ વર્તમાન પર્યાય છે તે મારામાં છે. જાણવાની વાત છે ને ? તો તેટલા પર્યાયકાળે તેમાં હું પર્યાયથી (પર્યાયાર્થિકનયે ) તન્મય છું એમ જાણે છે, પર્યાયથી (પર્યાયાર્થિકનયે ) હોં. દ્રવ્યથી નહિ. દ્રવ્યાર્થિકનયે ) ( દ્રવ્યથી તો દ્રવ્ય ગતિમાં છે જ કયાં ?) , દ્રવ્ય, વિશેષોમાં તે તે કાળે તન્મય હોવાને લીધે તે તે વિશેષોમાં અનન્ય છે. કોની પેઠે? તો દષ્ટાંત કહે છે–‘ છાણાં, તૃણ, પર્ણ અને કાષ્ઠમય અગ્નિની માફક, ' જેમ તૃણ, કાષ્ઠ વગેરેનો અગ્નિ તે તે કાળે તૃણમય, કાષ્ઠમય વગેરે હોવાને લીધે તૃણ, કાષ્ઠ વગેરેથી અનન્ય છે, તેમ દ્રવ્ય તે તે પર્યાયોરૂપ વિશેષોના સમયે Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78