Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 54
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ પ૩] વા. હવે એ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પરમાત્મદ્રવ્યનું જ્ઞાન તો, અહીં કહે છે કે, છે; પણ સાથે મનુષ્યપણાની જે ગતિ છે તેનું પણ જ્ઞાન છે. વળી મનુષ્યપણામાંથી દેવમાં જશે, કેમકે ધર્માત્માને તો મનુષ્યમાંથી દેવગતિ થાય છે. તો કહે છે કે ત્યાં પણ–એ દેવગતિમાં પણ– વિશેષમાં તન્મયપણે છે. દ્રવ્ય તેમાં તે તે કાળે તન્મય છે તેથી અનન્ય છે, અન્ય-અન્ય નથી. અહાહા...કહે છે–એકલા ઉઘાડલા પર્યાયાર્થિક ચક્ષુથી અવલોકવામાં આવે છે ત્યારે જીવ અન્યઅન્ય ભાસે છે. કેમ? કારણ કે તે તે વિશેષોના કાળે તે (દ્રવ્ય) તન્મય છે. તે એક પર્યાય સમયે બીજી પર્યાય નથી. શું કીધું એ? કે નારકપર્યાય સમયે મનુષ્યપર્યાય નથી, મનુષ્યપર્યાય સમયે સિદ્ધપર્યાય નથી અને સિદ્ધપર્યાય સમયે નારક કે મનુષ્યપર્યાય નથી. એક સમયે એક જ પર્યાય છે તેથી અન્ય પર્યાયોની અપેક્ષા તે (જીવ) અન્ય-અન્ય ભાસે છે કારણ કે દ્રવ્ય તેમાં તન્મયપણે છે. જુઓ, શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી છે. તેઓ વર્તમાનમાં પહેલી નરકમાં છે. તેઓ ત્યાંના સંજોગોમાં તન્મય નથી, પણ નરકગતિની વર્તમાન પર્યાય સાથે તન્મય છે, તે તે કાળે Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78