Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 60
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૫૯] છે તો અન્ય-અન્ય કીધું બાકી તો એની સાથે તે તે કાળે દ્રવ્ય તન્મય હોવાથી અનન્ય છે. અહો ! સંતોએ તો અમૃતના વેણલા વાયા છે! અહા ! હુવે આવું સમજવા માટે અજ્ઞાની રોકાય નહીં, તો ( વિચારવાનો) કયાં વખત મળે ? અરે ભાઈ ! દ્રવ્યમાં જે સમયે, જે ક્ષેત્રે, જે પ્રકારે થવાનું હોય છે, તે સમયે તે ક્ષેત્રે અવશ્ય થાય છે, તેમાં કાંઈ ફેરફાર થાય નહિ. વળી પરદ્રવ્યની અવસ્થા તને અડે છે. પણ કયાં? (નથી અડતી). તો પછી ભગવાન! તને શાની ચિંતા છે? દ્રવ્યના સ્વભાવને જાણીને, પર્યાયના અસ્તિત્વમાં જે પાંચ ગતિ છે–ચારગતિ અને સિદ્ધગતિ છે–એ પાંચેયમાં તે તે કાળે પોતે (-દ્રવ્ય) તન્મયપણે છે પણ પરમાં કદીય તન્મય નથી એમ જ્ઞાની યથાર્થ જાણે છે. મનુષ્યગતિની પર્યાય વખતે તે (-દ્રવ્ય) તેમાં તન્મયપણે છે અને ત્યારે સિદ્ધગતિ આદિ નથી અને સિદ્ધની પર્યાય વખતે તે તેમાં તન્મય હશે કેમકે ત્યારે બીજી સંસારની દેવાદિ ગતિ નથી. આ પ્રમાણે તે તે વિશેષોના સમયે તેમય હોવાને લીધે તેમનાથી તે તે કાળે દ્રવ્ય અનન્ય છે, જુદું નથી એમ યથાર્થ જ્ઞાની જાણે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78