Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 59
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૫૮] . કેવી રીતે પોતાની માનીને બેઠો છે? કયાં જવું છે પ્રભુ! તારે? શું નરક-નિગોદમાં જવું છે તારે ? ભાઈ ! દુનિયાને બેસે કે ન બેસે, વસ્તુસ્થિતિ તો આ જ છે. પોતાના આત્મા સિવાય બહારના ભભકામાં જો વીર્ય ઉલ્લસિત છે, વા એમાં જરી પણ “ઠીક છે” એમ લાગે છે તો તે મિથ્યાદષ્ટિ છે. તેને નથી દ્રવ્યનું જ્ઞાન કે નથી પર્યાયનું જ્ઞાન એ તો અજ્ઞાની જ છે. આત્માના દ્રવ્ય અને પર્યાય સિવાય, પર પદાર્થની ગમે તેટલી વિભૂતિ કે વૈભવના ગંજ ખડકાયેલા દેખાય તોપણ તેને અને તારે દ્રવ્યગુણમાં તો શું પર્યાયમાં પણ કાંઈ સંબંધ નથી. પરંતુ ફક્ત તારી પર્યાયમાં જે ગતિ થઈ છે તેનાથી તેને સંબંધ છે વા તેમાં તું તે કાળે તન્મય છો. તે કાળે હોં, કેમકે એ પર્યાય સદાય એકની એક રહેતી નથી. મનુષ્યગતિ બદલાઈ ને એકદમ દેવગતિ થશે, દેવગતિ બદલાઈને એકદમ મનુષ્યગતિ થશે અને વળી મનુષ્યગતિ બદલાઈને એકદમ સિદ્ધદશા થશે. તેથી તે પર્યાય અનેરી–અનેરી થશે છતાં તું તેમાં તે તે કાળે અનન્ય છો. આ પ્રમાણે અન્ય-અન્ય છે છતાં અનન્ય છે. એ તો પર્યાય પાંચ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78