Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 43
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૨] કરીને પર્યાયને જોવું એમ ન લીધું, પણ પર્યાયાર્થિક નયના ચક્ષુ સર્વથા બંધ કરીને દ્રવ્યાર્થિકનયથી જોવું એમ કહ્યું; કેમકે દ્રવ્ય ભાસતાં પર્યાય યથાર્થ ભાસે છે. તો હવે કહે છે “અને જ્યારે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડલા પર્યાયાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે, ત્યારે...” જાઓ, દ્રવ્ય (અંતઃતત્ત્વ) દેખવામાં તો આવ્યું છે, આ બધુંય સામાન્ય છે, આ બધું દ્રવ્ય છે, વસ્તુ છે–એમ જ્ઞાન તો થયું છે; છતાં તે તરફનું હવે જોવાનું બંધ કરીને અર્થાત્ તેના તરફનું લક્ષ છોડી દઈને...એમ કેમ કહ્યું? કારણ કે પર્યાય પણ પોતાની છે ને? પર્યાય દ્રવ્યમાં-પોતાનામાં છે તેથી તેને જોવા માટે આ દ્રવ્યાર્થિક નયનાં ચક્ષુ બંધ કર એમ કહે છે. બહુ ઝીણી વાત પ્રભુ ! અહાહા...! આ તો કેવળજ્ઞાન લેવાની તૈયારીવાળા દિગંબર સંતોની વાણી! બહુ ગંભીર બાપુ! હવે આવી (સમ્યક ) વાત બીજે (શ્વેતાંબરાદિમાં) કયાં છે? આકરું લાગે એવું છે. પણ શું થાય? આવી વાત બીજે છે જ નહિ. અહાહા..! સંત મુનિવર કહે છે-દ્રવ્યાર્થિક Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78